નવા ભારતની પત્રકારિતાને મળ્યું સન્માન, મોસ્ટ પોપ્યુલર ન્યૂઝ ફેસ ઇન હિંદી એવોર્ડથી સન્માનિત થયા સુધીર ચૌધરી

ગવર્નન્સ નાઉ તરફથી વિઝનરી એવોર્ડ્સ 2021 (Visionary Awards 2021) ની વિવિધ કેટેગરીમાંથી એક એવોર્ડ Zee News ના ખાતામાં આવ્યો છે. તેમાં જાણીતા એન્કર અને Zee News ના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરીને મોસ્ટ પોપ્યુલર ફેસ ન્યૂઝ (હિન્દી) માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

નવા ભારતની પત્રકારિતાને મળ્યું સન્માન, મોસ્ટ પોપ્યુલર ન્યૂઝ ફેસ ઇન હિંદી એવોર્ડથી સન્માનિત થયા સુધીર ચૌધરી

નવી દિલ્હી: ગવર્નન્સ નાઉ તરફથી વિઝનરી એવોર્ડ્સ 2021 (Visionary Awards 2021) ની વિવિધ કેટેગરીમાંથી એક એવોર્ડ Zee News ના ખાતામાં આવ્યો છે. તેમાં જાણીતા એન્કર અને Zee News ના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરીને મોસ્ટ પોપ્યુલર ફેસ ન્યૂઝ (હિન્દી) માટે સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ (Kiren Rijiju) એ 29 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ રીતે આયોજિત એક કાર્યક્રમમાં સુધીર ચૌધરીને અભિનંદન આપ્યા હતા અને સુધીર ચૌધરીએ આ એવોર્ડનો શ્રેય 3 લોકોને આપ્યો હતો.

નવા ભારતના પત્રકારત્વને મળ્યું સન્માન!
આ એવોર્ડ મેળવતા Zee News ના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરીએ કહ્યું કે એવોર્ડ અથવા લોકપ્રિયતા પાછળ 3 ફેક્ટર હોય છે. સૌ પ્રથમ તેમણે તેમના પ્રેક્ષકોનો આભાર માનતા કહ્યું, બીજા સ્થાન પર પોતાની ટીમને મૂકી અને ત્રીજા સ્થાને તેમણે તેમના પ્લેટફોર્મ એટલે કે Zee News નો આભાર માન્યો. એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે 27 વર્ષ પહેલાં આ વિઝન ડૉ. સુભાષ ચંદ્રાએ જોયું હતું અને તેમને આ સ્વતંત્રતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ નવા પત્રકારત્વની જીત છે જે નવા ભારતમાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

'ઐતિહાસિક ભૂલ સુધારવાની જરૂર'
Zee Newsના એડિટર-ઇન-ચીફ સુધીરે કહ્યું કે નવું પત્રકારત્વ ભારતને તેના સ્વાભિમાનની યાદ અપાવે છે. નવા યુગનું પત્રકારત્વ એ યાદ અપાવે છે કે ભારત હવે ગુલામ નથી. આપણો ઈતિહાસ આપણને ગર્વની અનુભૂતિ કરાવે છે અને જે ઐતિહાસિક ભૂલો કરવામાં આવી છે તેને વારસો ન ગણવી જોઈએ. તેમને ભૂલ ગણવી જોઈએ અને તેને સુધારવી જોઈએ.

ઘણા પુરસ્કારોથી થઇ ચૂક્યા છે સન્માનિત
સુધીર ચૌધરી Zee News, WION અને Zee Business ના CEO અને એડિટર-ઈન-ચીફ છે અને લાંબા સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય છે. હાલમાં, તે ઝી ન્યૂઝનો પ્રાઇમ ટાઇમ ન્યૂઝ શો ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ (DNA) રજૂ કરે છે. આ દેશનો નંબર 1 ન્યૂઝ શો છે. 90ના દાયકામાં પત્રકારત્વની કારકિર્દી શરૂ કરનાર સુધીર ચૌધરીએ 2001માં સંસદ પર હુમલો અને કારગિલ યુદ્ધ સહિત અનેક મોટી ઘટનાઓને કવર કરી છે. સુધીર ચૌધરીને તેમના ઉત્તમ પત્રકારત્વ માટે રામનાથ ગોએન્કા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

7 અલગ-અલગ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા વિજેતા
વિઝનરી એવોર્ડ્સ 2021 (Visionary Awards 2021) માટે સુધીર ચૌધરી ઉપરાંત, મનોરંજન ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નિયમનકારી અને નાણાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે આશિષ ચૌહાણ, MD, COVID-19 પરિસ્થિતિને સંભાળવા બદલ શ્રેષ્ઠ વહીવટકર્તાના રૂપમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઈકબાલ ચહલને, ફોર મોસ્ટ પોપ્યુલર ફેસ ન્યૂઝ (અંગ્રેજી) માટે ઈન્ડિયા ટુડે ગ્રુપ કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ અને પોલિટિકલ સ્પોકપર્સન ઓફ ધ ઇયરના રૂપમાં ભાજપના નેતા શહજાદ પૂનાવાલાની પસંદગી કરવામાં આવી છે. 
 અને ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાને વર્ષના રાજકીય પ્રવક્તા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ગવર્નન્સ નાઉ (Governance Now) એ અધિકારી બ્રધર્સ દ્વારા સંચાલિત મેગેઝિન છે, જે જાહેર નીતિ અને શાસનના વિશ્લેષણ માટે જાણીતું છે. હાલમાં, ગવર્નન્સ નાઉ વેબસાઈટ પર અને એક પાક્ષિક મેગેઝિન (Fortnightly Magazine) તરીકે ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news