બિહારમાં નીતીશ સરકારે પાસ કરી બહુમતની લડાઈ, પક્ષમાં 129 અને વિપક્ષમાં શૂન્ય મત

બિહારમાં નીતીશ કુમારની સરકાર બચી ગઈ છે. નીતીશ કુમારે વિધાનસભામાં બહુમતી  સાબિત કરી દીધી છે. ફ્લોર ટેસ્ટમાં નીતીશ કુમારના પક્ષમાં 129 મત પડ્યા હતા. 

બિહારમાં નીતીશ સરકારે પાસ કરી બહુમતની લડાઈ, પક્ષમાં 129 અને વિપક્ષમાં શૂન્ય મત

પટનાઃ બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર નીતીશ સરકાર પાસ થઈ ગઈ છે. ધ્વનિમતથી સરકારની જીત થઈ છે. પરંતુ નીતીશ કુમારે કહ્યું કે મતદાન પણ કરાવી લેવામાં આવે, જેના પર વિવિધ નેતાઓએ પોતાનો મત રાખ્યો હતો. મુખ્યમંત્રીએ બોલવાનું શરૂ કર્યું તો વિપક્ષી દળોએ હંગામો શરૂ કર્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યું કે જો નથી સાંભળવા ઈચ્છતા તો મતદાન કરાવી લેવામાં આવે. અમે બધાની વાત સાંભળી છે. અમને 2005માં કામ કરવાની તક મળી. તે પહેલા તેના પિતાજી અને માતાજીને સરકાર ચલાવવાની તક મળી. યાદ કરો કોઈ રોડ હતો શું, કોઈ સાંજ બાદ ઘરમાંથી નિકળી શકતા હતા?

બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે અમે ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રાખ્યો, જેના પર વિવિધ નેતાઓએ પોતાની વાત રાખી હતી. મુખ્યમંત્રીએ બોલવાનું શરૂ કર્યું તો વિપક્ષી પાર્ટીઓએ હંગામો કર્યો હતો. તેના પર નીતીશ કુમારે કહ્યું કે જો તમારે સાંભળવું ન હોય તો સીધું વોટિંગ કરવું જોઈએ. અમે દરેકની વાત સાંભળી છે. અમને 2005 થી કામ કરવાની તક મળી. તે પહેલા તેમના પિતા અને માતાને સરકાર ચલાવવાની તક મળી હતી. યાદ રાખો, ક્યાંય કોઈ રસ્તો હતો, શું કોઈ સાંજ પછી ઘરની બહાર નીકળવા સક્ષમ હતું? તેઓ મુસલમાનોની વાત કરે છે, દરરોજ હિન્દુ-મુસ્લિમ ઝઘડા થતા હતા. અમે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અટકાવ્યો. 15 વર્ષમાં મુસ્લિમોને ન્યાય ન મળ્યો, અમે આવ્યા પછી કાર્યવાહી કરી. કેટલો વિકાસ થયો છે.

— ANI (@ANI) February 12, 2024

નીતીશ કુમારે કહ્યું કે જે અમારા લોકોના પક્ષમાં છે તેના મત પણ લઈ લો અને વિપક્ષમાં છે તેના પણ મત લઈ લો. તેના પર ડેપ્યુટી સ્પીકરે કહ્યું- હાં, ના કરતા ધ્વનિમતથી બહુમત પાસ કરવાની જાહેરાત કરી હતી. વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news