શિવસેનાનો નસીરૂદ્દીન શાહ પર પલટવાર, ભારતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થતું નથી

શુક્રવારે નસીરૂદ્દીન શાહે માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દેશમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ધર્મના નામે નફરતની દિવાલ ઊભી કરવામાં આવે છે 

શિવસેનાનો નસીરૂદ્દીન શાહ પર પલટવાર, ભારતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થતું નથી

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, ભારતમાં કોઈ પણ પ્રકારે માનવાધિકારોનું ઉલ્લંઘન થતું નથી. તેમણે વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે જવાબ આપ્યો હતો. 

સંજય રાઉતે જણાવ્યું કે, "મને નથી લાગતું કે ભારદમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય. ભારતમાં લોકશાહી છે. હું નસીરુદ્દીન શાહજીનું સન્માન કરું છું. તેઓ એક શ્રેષ્ઠ અભિનેતા છે. આજે પણ નસીરૂદ્દીન શાહજી તેમને જે કહેવું હોય તે બોલી શકે છે."

ઉલ્લેખનીય છે કે, નસીરૂદ્દીન શાહે 20 ડિસેમ્બરના રોજ યુટ્યુબ પર આવેલા એક વીડિયોમાં એવું જણાવ્યું હતું કે, ભારતમાં લોકો તેમના હાથમાં કાયદો લેવા માટે સ્વતંત્ર છે. દેશમાં એક ગાયના મૃત્યુને એક પોલિસ અધિકારીના મોત કરતાં વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાય હતો. 

હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં શુક્રવારે નસીરૂદ્દીન શાહે બીજા એક વીડિયોમાં ફરીથી જણાવ્યું છે કે, ભારત દેશમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. 

માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ડિયા દ્વારા રિલીઝ કરાયેલા એક વીડિયોમાં નસીરુદ્દીન શાહે ભારતમાં માનવાધિકારોના સ્તર અંગે નિવેદન આપ્યું છે. આ વીડિયોમાં શાહ જણાવે છે કે, 'અમારા દેશનું બંધારણ અમને બોલવાની, વિચારવાની, કોઈ પણ ધર્મને પાળવાની અને પ્રાર્થના કરવાની મંજૂરી આપે છે. પરંતુ, આજે દેશમાં ધર્મના નામે નફરતોની એક દિવાલ ઊભી કરવાનમાં આવી રહી છે. જો લોકો આ અન્યાય સામે અવાજ ઉઠાવે છે, તેમને તેની સજા આપવામાં આવે છે.' 

શાહે વધુમાં જણાવ્યું છે કે, "આ દેશમાં કલાકાર, અભિનેતા, ગીતકાર, બુદ્ધિજીવી અને પત્રકાર સહિત ભિન્ન મત ધરાવતા લોકોને ચૂપ કરાવાઈ રહ્યા છે." 

ઉર્દૂ ભાષાના આ વીડિયોમાં નસીરુદ્દીન શાહ કહે છે કે, "હમારા દેશ કહાં જા રહા હૈ? ક્યા હમને ઐસે દેશ કા સપના દેખા થા જહાં અસંતોષ કી કોઈ જગહ નહીં હૈ, જહાં કેવલ અમીર ઔર શક્તિશાલી લોગોં કો સુના જાતા હૈ ઔર જહાં ગરીબોં વ સબસે કમઝોર લોગોં કો દબાયા જાતા હૈ? જહાં કભી કાનૂન થા, લેકિન અબ બસ અંધકાર હૈ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news