PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બદલ્યો પ્રોફાઈલ ફોટો, મૂકી આ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યો છે. તેમણે પોતાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલના પ્રોફાઈલ ફોટા પર તિરંગાનો ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા પીએમ મોદીએ આ પગલું ભર્યું છે. 

PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બદલ્યો પ્રોફાઈલ ફોટો, મૂકી આ તસવીર

PM Modi Social Media Accounts: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યો છે. તેમણે પોતાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલના પ્રોફાઈલ ફોટા પર તિરંગાનો ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા પીએમ મોદીએ આ પગલું ભર્યું છે. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આજે બે ઓગસ્ટનો દિવસ ખાસ છે. જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આવામાં આપણો દેશ તિરંગાનું સન્માન કરવાની સામૂહિક મુહિમ હેઠળ હર  ઘર તિરંગા માટે તૈયાર છે. મે મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને હું તમને પણ આમ કરવાનો આગ્રહ કરું છું. 

— Narendra Modi (@narendramodi) August 2, 2022

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ જન આંદોલનમાં ફેરવાઈ રહ્યું છે અને તેમણે લોકોને બે ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઈલ તસવીર તરીકે તિરંગો લગાવવાનું કહ્યું હતું. 

પીએમ મોદીએ તિલંગાની ડિઝાઈન તૈયાર કરનારા પિંગલી વેંકૈયાની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ પણ આપી. તેમણે કહ્યું કે આપણો દેશ હંમેશા તિરંગો આપવાના તેમના પ્રયત્નો બદલ તેમનો ઋણી રહેશે. આપણને આપણા તિરંગા પર ખુબ ગર્વ છે. હું કામના કરું છું કે તિરંગામાથી તાકાત અને પ્રેરણા લેતા આપણે રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતા રહીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news