Property News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટ 

Real Estate: રિયલ્ટી સેક્ટરની ટોચની સંસ્થા CREDAI અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયાનું કહેવું છે કે ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટનું કદ 2047 સુધીમાં પાંચથી સાત ટ્રિલિયન ડૉલર પહોંચી શકે છે. જો તમે પણ ઘરનું ઘર લેવા માગો છો તો આ ઉત્તમ સમય છે. મકાનોના ભાવ અમદાવાદમાં કૂદકે ને ભૂલકે વધી રહ્યાં છે. તમે હાલ મકાન નહીં લઈ શકો તો ભવિષ્યમાં લેવાના સપનાં જોવા પડશે. ભાવમાં તોતિંગ વધારો થશે. 

Property News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટ 

ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીના કોઈ સંકેત દેખાતા નથી. મકાનોની માંગ સદાબહાર અને મજબૂત રહે છે. આ માગને પહોંચી વળવા માટે વધુ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર છે. રિયલ્ટી સેક્ટરની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઈન્ડિયાનું કહેવું છે કે 2047 સુધીમાં ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટનું કદ અનેકગણું વધીને પાંચથી સાત ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. 

વધતી જતી આર્થિક વૃદ્ધિ અને ઝડપી શહેરીકરણ સાથે તે 10 ટ્રિલિયન ડોલર સુધી પણ પહોંચી શકે છે. સંયુક્ત અહેવાલ 'ઇન્ડિયન રિયલ એસ્ટેટઃ ધ ક્વોન્ટમ લીપ'માં, CREDAI અને Colliers Indiaએ 'CREDAI Natcon' કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો. ઓછી ઑફર્સને કારણે કોઈપણ ક્વાર્ટરમાં ઘરનું વેચાણ ઘટી શકે છે, પરંતુ કોવિડ-19 રોગચાળા પછી ગ્રાહકની માંગમાં જબરદસ્ત વધારો થયો છે.

આકર્ષક ભાવે મકાનો ઝડપથી વેચાઈ રહ્યા છે
વર્તમાન ક્વાર્ટરમાં વેચાણમાં અપેક્ષિત ઘટાડા અંગે CREDAI નેશનલ ચેરમેન મનોજ ગૌરે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નવા મકાનો લોન્ચ ઓછા થયા છે. સારા ડેવલપર્સ દ્વારા યોગ્ય સ્થળોએ અને આકર્ષક ભાવે ઓફર કરવામાં આવતી રહેણાંક મિલકતો ઝડપથી વેચાઈ રહી છે. પ્રોપઇક્વિટીએ નવા ડેટામાં અનુમાન લગાવ્યું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતના નવ મોટા શહેરોમાં મકાનોનું વેચાણ 18 ટકા ઘટીને 1,04,393 યુનિટ થયું છે.

50 ટકા વસ્તી શહેરોમાં રહે છે
રીઅલ એસ્ટેટ વૃદ્ધિ મોટા શહેરોની સીમાઓથી આગળ વધીને ઘણા નાના શહેરો સુધી વિસ્તરશે. 2047 સુધીમાં દેશની 50 ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે. આ રહેણાંક, ઓફિસ, ડેટા સેન્ટર અને છૂટક જગ્યાઓમાં અભૂતપૂર્વ માંગ ઉભી કરશે.

આ કારણોસર વધી જશે ભાવ
રિપોર્ટ અનુસાર ભારતીય જીડીપીમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો હિસ્સો 2047 સુધીમાં વધીને 14-20 ટકા થવાની ધારણા છે. રિયલ એસ્ટેટમાં આ લાંબા ગાળાની વૃદ્ધિમાં છ મુખ્ય પરિબળો ભૂમિકા ભજવશે. આ છ પરિબળો છે... ઝડપી શહેરીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઈઝેશન, વસ્તી વિષયક બદલાવ, સ્થિરતા અને રોકાણનું વૈવિધ્યકરણ.

એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા બદલવાની જરૂર 
CREDAIના રાષ્ટ્રીય અધ્યક્ષ બોમન ઈરાનીએ કહ્યું કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં GST ઈનપુટ ક્રેડિટની જોગવાઈની જરૂર છે. તેમણે કહ્યું કે, રિયલ્ટી સેક્ટરમાં કિંમતો ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા બદલવાની જરૂર છે, જેની મર્યાદા 2017માં 45 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

રેરાને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો
RERA અને WRIT રેગ્યુલેશન જેવી સીમાચિહ્નરૂપ પહેલોએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારી છે. રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને સમગ્ર સેક્ટરમાં કામગીરી સુવ્યવસ્થિત કરવામાં હોવાનું CREDAIના ચેરમેન મનોજ ગૌરે જણાવ્યું હતું. અમદાવાદમાં પણ પ્રોપર્ટી માર્કેટમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે.

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news