5 ઓગસ્ટના ભૂમિ પૂજનથી પહેલા PM મોદી કરશે આ જરૂરી કામ, સમાપ્ત થશે 166 વર્ષ જૂનો વિવાદ

ભગવાન હનુમાનને અયોધ્યા (Ayodhya) અને રામ ભક્તોના રક્ષક કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ્યારે બુધવારના ભૂમિ પૂજન માટે આયોધ્યા આવશે, તો સૌથી પહેલા હનુમાન ગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. હનુમાન ગઢી મંદિરના મુખ્ય પુજારી મહંત રાજૂ દાસના અનુસાર, ભૂમિ પૂજન માટે જતા પહેલા પ્રધાનમંત્રી હનુમાન ગઢી મંદિરમાં લગભગ 7 મિનિટ સુધી પૂજા-અર્ચના કરશે. તેમના માટે અહીં એક વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂમિ પૂજન અનુષ્ઠાન વાસ્તવમાં 4 ઓગસ્ટથી હનુમાન ગઢીમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, કોઇ પણ કાર્યને શરૂ કરતા પહેલા, ભગવાન હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઇએ અને રક્ષાના આશીર્વાદ માંગવા જોઇએ. બુધવારના ભૂમિ પૂજન થવાની સાથે લગભગ 166 વર્ષ જૂના વિવાદનો અંત આવશે.
5 ઓગસ્ટના ભૂમિ પૂજનથી પહેલા PM મોદી કરશે આ જરૂરી કામ, સમાપ્ત થશે 166 વર્ષ જૂનો વિવાદ

અયોધ્યા: ભગવાન હનુમાનને અયોધ્યા (Ayodhya) અને રામ ભક્તોના રક્ષક કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ્યારે બુધવારના ભૂમિ પૂજન માટે આયોધ્યા આવશે, તો સૌથી પહેલા હનુમાન ગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. હનુમાન ગઢી મંદિરના મુખ્ય પુજારી મહંત રાજૂ દાસના અનુસાર, ભૂમિ પૂજન માટે જતા પહેલા પ્રધાનમંત્રી હનુમાન ગઢી મંદિરમાં લગભગ 7 મિનિટ સુધી પૂજા-અર્ચના કરશે. તેમના માટે અહીં એક વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂમિ પૂજન અનુષ્ઠાન વાસ્તવમાં 4 ઓગસ્ટથી હનુમાન ગઢીમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, કોઇ પણ કાર્યને શરૂ કરતા પહેલા, ભગવાન હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઇએ અને રક્ષાના આશીર્વાદ માંગવા જોઇએ. બુધવારના ભૂમિ પૂજન થવાની સાથે લગભગ 166 વર્ષ જૂના વિવાદનો અંત આવશે.

આ રીતે શરૂ થયો અયોધ્યા વિવાદ
મંદિર પર વિવાદ 1853માં શરૂ થયો હતો. મસ્જિદના નિર્માણ બાદ. હિન્દુઓએ આરોપ લગાવ્યો કે મસ્જિદનું નિર્માણ જે સ્થાન પર થયું છે, ત્યાં પહેલા ભગવાન રામનું મંદિર હતું, જેને મસ્જિદના નિર્માણ માટે તોડવામાં આવ્યું હતું.

1885માં આ મામલો પ્રથમ વખત કોર્ટમાં પહોંચ્યો જ્યારે મહંત રઘુબર દાસે બાબરી મસ્જિકથી અડીને મંદિર બનાવવાની પરવાનગી માટે ફૈઝાબાદ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બ્રિટિશ સરકારે 1859માં વિવાદિત ભૂમિની અંદર અને બહારના પરિસરમાં મુસ્લિમો અને હિન્દુઓને અલગ-અલગ પ્રાર્થનાઓની પરવાનગી આપવા માટે એક તારની બોર્ડર લગાવી.

23 ડિસેમ્બર 1949ના આ કેન્દ્રીય સ્થળ પર ભગવાન રામની એક મૂર્તિ મુકવામાં આવી હતી. ત્યાર બાદ હિન્દુઓએ નિયમિત રૂપથી તે સ્થાન પર પૂજા કરવાની શરૂ કરી હતી, જ્યારે મુસ્લિમોએ ત્યાં નમાજ અદા કરવાનું બંધ કરી દીધું.

16 જાન્યુઆરી 1950ના ગોપાલ સિંહ વિશારદે ફૈઝાબાદ કોર્ટમાં અપીલ દાખલ કરી, જેમાં રામ લલાની પૂજા કરવાની વિશેષ પરવાનગી માંગી હતી, થોડા સમય બાદ 5 ડિસેમ્બર 1950ના મહંત પરમહંસ રામ ચંદ્ર દાસે પણ હિન્દૂ પ્રાર્થનાઓ ચાલુ રાખવા અને વિવાદિત ઢાંચામાં ભગવાન રામની મૂર્તિ રાખવા માટે કેસ દાખલ કર્યો.

નવ વર્ષ બાદ, 17 ડિસેમ્બર 1959ના નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળના ટ્રન્સફર કરવા માટે કેસ દાખલ કર્યો અને 18 ડિસેમ્બર 1961ના ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડે પણ કેસ દાખલ કરી બાબરી મસ્જિદના સ્વામિત્વની માંગ અને મૂર્તિઓને મસ્જિદ પરિસરથી હટાવવાની માંગ કરી.

1984 માં, વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) વિવાદિત ઢાંચાના તાળાઓ ખોલવા માટે એક અભિયાન શરૂ કર્યું. આ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે.એમ. પાંડેએ 1 ફેબ્રુઆરી 1986ના રોજ વિવાદિત સ્થળે હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપી હતી. તાળાઓ ફરી ખોલવામાં આવ્યા હતા, પરંતુ આનાથી કેટલાક મુસ્લિમ સંગઠનો ગુસ્સે થયા અને તેઓએ વિરોધ કરવા બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી.

1989માં શરૂ થયું આંદોલન
1989માં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ને ઔપચારિક ટેકો આપવાની ઘોષણા કરી, મંદિરના આંદોલનને એક નવું જીવન આપ્યું. આ તે તબક્કો હતો જ્યારે રામ મંદિર માટે મોટા પાયે આંદોલન શરૂ થયું, જેણે આગામી વર્ષોમાં રાષ્ટ્રીય રાજકારણનો માર્ગ બદલી નાખ્યો.

1 જુલાઈ, 1989ના રોજ ભગવાન રામલાલા વિરાજમાનના નામે પાંચમો મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો. 9 નવેમ્બર 1989ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ વિવાદિત ઢાંચાની નજીક 'શિલાન્યાસ' (પાયો નાખવા) કરવાની મંજૂરી આપી.

જેવું મંદિરના આંદોલનને વેગ મળતાં સપ્ટેમ્બર 1990માં, તત્કાલીન ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી હતી. લાલુ યાદવ સરકાર દ્વારા અડવાણીની બિહારના સમસ્તીપુરમાં ધરપકડ કરી હતી.

ઓક્ટોબર 1991માં, ઉત્તરપ્રદેશમાં કલ્યાણ સિંહ સરકારે વિવાદિત ઢાંચાની નજીકની 2.77 એકર જમીન સંપાદન કરી હતી અને તેને રામ જન્મભૂમિ ન્યાસને ભાડે આપી હતી. જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે ત્યાં કાયમી ઢાંચા ઉભું કરવામાં ન આવે.

1992ના કોમી રમખાણો
મંદિર આંદોવન 6 ડિસેમ્બર 1992ના તે સમયે ચરમસીમાએ પહોંચ્યું હતું, જ્યારે ભેગા થયેલા હજારો 'કારસેવકો'એ વિવાદિત ઢાંચાને ધ્વસ્ત કર્યો, જેનાથી દેશભરમાં કોમી તોફાનો થયા હતા. મસ્જિદના વિધ્વંસ માટે જવાબદાર લોકોની તપાસ માટે થોડા દિવસો બાદ લિબ્રહાન કમિશનની રચના કરવામાં આવી હતી.

વિવાદને દૂર કરવા માંગતા હતા વાજપેયી
જાન્યુઆરી 2002માં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેમની ઓફિસમાં અયોધ્યા વિભાગ શરૂ કર્યો. આ વિભાગનું કામ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના વિવાદનું સમાધાન કરવાનું હતું. એ જ વર્ષે એપ્રિલમાં, ત્રણ જજોની ખંડપીઠે અયોધ્યામાં વિવાદિત સ્થળની માલિકી અંગે સુનાવણી શરૂ કરી હતી.

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશનના અંતર્ગત 2003માં અયોધ્યામાં ખોદકામ શરૂ કર્યું હતું. એએસઆઈએ દાવો કર્યો હતો કે વિવાદિત બંધારણ હેઠળ મંદિરના પુરાવા હોવાના પુરાવા છે, પરંતુ મુસ્લિમોનાં તેના વિશે જુદા જુદા મંતવ્યો હતા.

સપ્ટેમ્બર 2010માં, અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે એક સીમાચિહ્ન ચુકાદો આપ્યો અને વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દીધી - એક ભાગ રામ મંદિરને આપવામાં આવ્યો, બીજો ભાગ સુન્ની વકફ બોર્ડને અને ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને.

9 નવેમ્બર 2019ના ઐતિહાસિક દિવસ
હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને વિવાદના સમાધાન માટેના સુખદ પ્રયત્નો પછી, સર્વોચ્ચ અદાલતે 9 નવેમ્બર, 2019ના રોજ ચુકાદો આપ્યો હતો કે વિવાદિત જમીન હિન્દુઓને મંદિર નિર્માણ અને મસ્જિદના નિર્માણ માટે આપવામાં આવશે. અયોધ્યામાં મુસ્લિમોને 5 એકર જમીન આપવામાં આવશે.

કોર્ટે સરકારને મંદિરના નિર્માણની દેખરેખ માટે ટ્રસ્ટ સ્થાપવા જણાવ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના આ વર્ષે ફેબ્રુઆરીમાં મંદિરના નિર્માણની શરૂઆત કરવા માટે કરવામાં આવી હતી. જો કોરોના મહામારી અને દેશવ્યાપી લોકડાઉન ન થયું હોત, તો એપ્રિલ મહિનામાં રામ નવમી પર મંદિર નિર્માણ શરૂ થઈ ગયું હોત. દરમિયાન, રાજ્ય સરકારે અયોધ્યાના ધન્નીપુરમાં મુસ્લિમોને પાંચ એકર જમીન આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news