Gujarat Corona Update: નવા 1009 કેસ, 974 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે આજે રક્ષાબંધનનો દિવસ સામાન્ય રાહતરૂપ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 1100થી  વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1009 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. 

Gujarat Corona Update: નવા 1009 કેસ, 974 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે આજે રક્ષાબંધનનો દિવસ સામાન્ય રાહતરૂપ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 1100થી  વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1009 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે. 

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 19769 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 304.13 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,34,104 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1003 અને અન્ય રાજ્યનાં 06 થઇને કુલ 1009 દર્દી નોંધાયા છે. આજે 974 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. 

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,81,925 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,81,925 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,80,389 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 1536 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14614 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 83 છે જ્યારે 14531 લોકો સ્ટેબલ છે. 47561 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2509 લોકોનાં મોત નિપજ્યા છે. જે પૈકી આજે 22 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનનાં 6, સુરત કોર્પોરેશનનાં 6, સુરત 5, ભાવનગર કોર્પોરેશન 1, જુનાગઢ 1, કચ્છ 1, રાજકોટ 1 અને રાજકોટનાં વડોદરા કોર્પોરેશનનાં 1 થઇને કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news