Bhumi pujan News

ગુજરાતમાં રામભક્તોએ શેરીએ શેરીએ ફટાકડા ફોડ્યા, અમરેલીમા વિહિપ કાર્યાલયનુ ભૂમિ પૂજન ક
રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમ માટે દરેક ભારતીય ખુશ છે. કોરોનાકાળમાં પહેલીવાર ભારતીય મોટા આ ખુશીની ક્ષણ આવી છે. સાથે જ આ એક ગર્વ લેવાની ઘટના પણ છે. તેથી લોકો અલગ અલગ રીતે તેની ઉજવણી કરી રહ્યાં છે. ગુજરાતભરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં રામમંદિર (Ram Mandir) ભૂમિપુજન અવસરને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો. વિશ્વખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે. બાલાહનુમાન મંદિરના પટાંગણમાં રામ ભક્તોએ ફટાકડા ફોડ્યા હતા. બાલા હનુમાન મંદિરે શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન બોલાવી હતી. તો સાથે જ બાલા હનુમાન મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું. ભગવાન શ્રીરામની ભક્તિમાં રામભક્તો લીન થતાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મહાનુભાવો દ્વારા કાર સેવકોનુ સન્માન પણ કરવામાં આવ્યું.
Aug 5,2020, 13:36 PM IST
500 વર્ષના સંઘર્ષ બાદની ઐતિહાસિક ક્ષણ, VHP-બજરંગદળ દ્વારા મહાઆરતી અને આતશબાજી કરાઈ  
અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર શિલાન્યાસનો દિવસ સમગ્ર દેશ માટે દિવાળી સમાન છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) ના ભૂમિપૂજનને લઈને દેશભરમા અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ લોકોમાં આ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમદાવાદ સ્થિતિ ઉસ્માનપુરામાં મહાઆરતી અને આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા ભવ્ય મહાઆરતી અને આતશબાજી કરાશે. અહીં નાનાથી લઈ મોટા આજે રામ રંગમાં રંગાયા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજનો દિવસ સૌ માટે ઐતિહાસિક બન્યો છે. પાલડી વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .
Aug 5,2020, 12:58 PM IST
5 ઓગસ્ટના ભૂમિ પૂજનથી પહેલા PM મોદી કરશે આ જરૂરી કામ, સમાપ્ત થશે 166 વર્ષ જૂનો વિવાદ
ભગવાન હનુમાનને અયોધ્યા (Ayodhya) અને રામ ભક્તોના રક્ષક કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ્યારે બુધવારના ભૂમિ પૂજન માટે આયોધ્યા આવશે, તો સૌથી પહેલા હનુમાન ગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. હનુમાન ગઢી મંદિરના મુખ્ય પુજારી મહંત રાજૂ દાસના અનુસાર, ભૂમિ પૂજન માટે જતા પહેલા પ્રધાનમંત્રી હનુમાન ગઢી મંદિરમાં લગભગ 7 મિનિટ સુધી પૂજા-અર્ચના કરશે. તેમના માટે અહીં એક વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂમિ પૂજન અનુષ્ઠાન વાસ્તવમાં 4 ઓગસ્ટથી હનુમાન ગઢીમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, કોઇ પણ કાર્યને શરૂ કરતા પહેલા, ભગવાન હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઇએ અને રક્ષાના આશીર્વાદ માંગવા જોઇએ. બુધવારના ભૂમિ પૂજન થવાની સાથે લગભગ 166 વર્ષ જૂના વિવાદનો અંત આવશે.
Aug 3,2020, 19:14 PM IST

Trending news