CM શિંદેને ગદ્દાર કહેવા પર શિવસેનાની ધમકી, ભાજપના નેતા માફી માંગે, નહીં તો કામ નહીં થાય

CM Shinde: શિવસેના નું કહેવું છે કે જ્યાં સુધી ભાજપના નેતા માફી નહીં માંગે ત્યાં સુધી શિવસેના ભાજપના ઉમેદવાર માટે કામ નહીં કરે. યુવા સેનાના મહાસચિવનું કહેવું છે કે રામચંદાનીએ કંઈ પણ બોલતા પહેલા તેને સમજવું જરૂરી છે.

CM શિંદેને ગદ્દાર કહેવા પર શિવસેનાની ધમકી, ભાજપના નેતા માફી માંગે, નહીં તો કામ નહીં થાય

CM Shinde: મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. મતગણતરી 23 નવેમ્બરે થશે. ચૂંટણી પહેલા છેલ્લા કેટલાક દિવસોથી શિવસેના અને ભાજપ વચ્ચે સમસ્યાઓ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ભાજપના જીલ્લા અધ્યક્ષ રામચંદાનીના નિવેદનને લઈને શિવસેનાએ કડક વર્તન શરૂ કર્યું છે. 

શિવસેના નું કહેવું છે કે જ્યાં સુધી ભાજપના નેતા માફી નહીં માંગે ત્યાં સુધી શિવસેના ભાજપના ઉમેદવાર માટે કામ નહીં કરે. યુવા સેનાના મહાસચિવનું કહેવું છે કે રામચંદાનીએ કંઈ પણ બોલતા પહેલા તેને સમજવું જરૂરી છે. રામ ચંદાનીએ શિવસેનાના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ સિંદ્દેને ગદ્દાર કહ્યા હતા જે સંપૂર્ણપણે ખોટું છે. 

Add Zee News as a Preferred Source

મહાસચિવ વીકી ભુલર નું કહેવું છે કે તેમણે કોઈ ગદ્દારી કરી નથી. તેથી રામચંદાનીએ જે નિવેદન આપ્યું છે તેનો ખુલીને વિરોધ કરે છે. જ્યાં સુધી રામચંદાની માફી નહીં માંગે ત્યાં સુધી ઉલાસનગર શિવસેના ભાજપના ઉમેદવાર માટે કોઈ કામ નહીં કરે. 

મહત્વનું છે કે પ્રદીપ રામચંદાની એવું કહ્યું હતું કે, જેને ગદ્દાર કહેવામાં આવે છે તે મુખ્યમંત્રી બની જાય છે અને ભાજપમાં આવીને બધા ખુદ્દાર બની જાય છે. બદલતા સમયની સાથે રાજકારણની પરિભાષા પણ બદલી ગઈ છે. શિવસેનાના કાર્યકર્તાઓ રામચંદાનીના આવા નિવેદનથી નારાજ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news