Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં CFSL ના બે રિપોર્ટ આવ્યા, હવે પોસ્ટમોર્ટમ માટે મોકલાશે હાડકાંના ટુકડા

Shraddha Murder Case Update: શ્રદ્ધા હત્યા કેસમાં જપ્ત હાડકાં અને લોહીના ડાઘનો ડીએનએ તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. ડીએનએ સેમ્પલ શ્રદ્ધાના પિતાથી મેચ થઈ ગયા છે. 

Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં  CFSL ના બે રિપોર્ટ આવ્યા, હવે પોસ્ટમોર્ટમ માટે મોકલાશે હાડકાંના ટુકડા

નવી દિલ્હીઃ Shraddha Murder Case Update: શ્રદ્ધા હત્યા કેસમાં એક મહત્વની માહિતી સામે આવી છે. તે હાડકાં પોલીસને તપાસ દરમિયાન મળ્યા હતા, તેનું ડીએનએ સેમ્પલ શ્રદ્ધાના પિતાની સાથે મેચ થઈ ગયું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર સિંહ હુડ્ડાએ જણાવ્યું કે શ્રદ્ધા હત્યાકાંડમાં જંગલમાંથી મળેલ હાડકાં અને લોગીના ડાઘનો ડીએનએ રિપોર્ટ શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થઈ ગયો છે. સીએફએસએલ (CFSL) એ હાડકાં અને ઘરમાંથી મળેલા લોહીના ડાઘનો રિપોર્ટ સોંપી દીધો છે. આ લોહીના સેમ્પલ સીએફએસએલે છતરપુરના ફ્લેટના કિચન, બાથરૂમ અને બેડરૂમમાંથી લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે સીએફએસએલથી હજુ 2 રિપોર્ટ આવ્યા છે જે કેસની તપાસને આગળ વધારવામાં ખુબ મહત્વપૂર્ણ છે. 

દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે જે હાડકાંના ડીએનએ મેચ થઈ ગયા છે તેને જલદી પોસ્ટમોર્ટમ માટે એમ્સ મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે ઓટોપ્સી દ્વારા શ્રદ્ધાની હત્યાનો સાચો દિવસ અને સમય જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલું જ નહીં પોલીગ્રાફિક ટેસ્ટ બાદ પોલીસે જંગલમાંથી શ્રદ્ધાના કેટલાક કપડા પણ જપ્ત કર્યા છે, જે તેણે અંતિમ સમયમાં પહેર્યાં હતા. આ કપડા જંગલમાંથી મળ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 

હાડકાંનો ડીએનએ ટેસ્ટ મેચ
દિલ્હી પોલીસ જંગલમાંથી મળેલા હાડકાંના ડીએનએ મેચને મોટી સફળતા માની ચાલી રહી છે. પોલીસ સૂત્રો પ્રમાણે અત્યાર સુધી આ કેસ પરિસ્થિતિજન્ય પૂરાવા (Circumstancial Evidence) પર ઉભો હતો. પરંતુ સીએફએસએલ રિપોર્ટ આવ્યા બાદ હવે તે કડીઓને જોડવામાં મદદ કરશે. જેનાથી આ કેસને મજબૂતી સાથે કોર્ટમાં રાખી આફતાબને તેના અંજામ સુધી પહોંચાડી શકાશે. 

થોડા દિવસ પહેલા મળ્યા હતા હાડકાં
દિલ્હી પોલીસે મહરૌલી અને ગુરૂગ્રામના જંગલોમાંથી હાડકાંને જપ્ત કર્યાં હતા. સેમ્પલને સીએફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. આ હાડકાં વિશે આરોપી આફતાબે જ પોલીસને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ અનુસાર, આફતાબ અમીન પૂનાવાલાએ પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકર (27) ની 18 મેએ સાંજે કથિત રીતે ગળુ દબાવી હત્યા કરી દીધી હતી અને તેના મૃતદેહના 35 ટુકડાં કર્યાં હતા. આરોપીએ મૃતદેહના ટુકડાને દક્ષિણ દિલ્હીના મહરૌલીમાં પોતાના આવાસ પર લગભગ ત્રણ સપ્તાહ સુધી એક મોટા ફ્રીઝમાં રાખ્યા અને બાદમાં તેને ઘણા દિવસો સુધી વિવિધ જંગલમાં ફેંક્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news