તમિલનાડુમાં મોટી દુર્ઘટના, કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં પડી, 8ના મોત, 35 ઘાયલ

Tourist Bus Fell Into Gorge: તમિલનાડુના કુન્નૂરમાં એક બસ ખીણમાં પડી છે. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ડ્રાઇવરે બસ પર નિયંત્રણ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. 

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં પડી, 8ના મોત, 35 ઘાયલ

Bus Fell Into Gorge In Tamil Nadu: તમિલનાડુના કુન્નૂર સ્થિત મારાપલમની પાસે એક પર્ટક બસ ખીણમાં પડી જવાથી 35 લોકો ઈજાગ્રસ્ત થયા અને 8 લોકોના મોત થયા છે. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. બસમાં 55 યાત્રિ સવાર હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કુન્નૂરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

દુર્ઘટના બાદ સ્થાનીક લોકો, પોલીસ અને ફાયરકર્મી બચાવ અને રાહત કામો માટે પીડિતોની મદદ માટે દોડ્યા અને ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા. ઘટનાને લઈને કોયંબટૂર ઝોનના ડીઆઈજી સરવણ સુંદરે કહ્યું કે દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક યાત્રિ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

મૃતકોમાં ત્રણ મહિલાઓ સામેલ
પોલીસ અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઇવરે બસ પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધુ હતું, જેના કારણે બસ કુન્નૂરની પાસે મરાપલમમાં 10 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. પોલીસે કહ્યું કે તમિલનાડુના મરાપલમની પાસે એક પર્યટક બસ ખીણમાં પડવાથી ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે. 

મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત
આ વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને 8-8 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયા તથા સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news