શાહજહાંપુરમાં ગોઝારો અકસ્માત, બે ટેમ્પો પર પલટ્યો ટ્રક, 15 લોકોના મોત

શાહજહાંપુરમાં મંગળવાર (27 ઓગસ્ટ)ના ગોઝારો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ટેમ્પાની ઉપર ક ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ દૂર્ધટનામાં 15 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે

શાહજહાંપુરમાં ગોઝારો અકસ્માત, બે ટેમ્પો પર પલટ્યો ટ્રક, 15 લોકોના મોત

શિવ કુમાર, શાહજહાંપુર: શાહજહાંપુરમાં મંગળવાર (27 ઓગસ્ટ)ના ગોઝારો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ટેમ્પાની ઉપર એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ દૂર્ધટનામાં 15 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.

દુર્ઘટના રોજા સ્ટેશનના જમૂકા તિરાહે પર થયો છે. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ પહોંચી ગઇ છે અને ગ્રામીણોની મદદથી મૃતકોને ટ્રક અને ટેમ્પાની વચ્ચે દબાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાહત બચાવ કાર્ય હજી સુધી ચાલી રહ્યું છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news