Yoga Day 2023: બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે આ ચાર આસન

Yoga Day 2023: તેજ દિમાગ કરવા માટે, યાદશક્તિ વધારવા માટે યોગાસનની મદદ લઈ શકો છો. યોગ ઘણાં પ્રકારના શારિરિક અને માનસિક સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં મદદરૂપ છે. આ પરિસ્થિતિમાં કેટલાક ખાસ પ્રકારના યોગાસનનો અભ્યાસ બાળકો માટે લાભકારી સાબિત થાય છે.

Yoga Day 2023: બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે આ ચાર આસન

નવી દિલ્હીઃ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ઓનલાઈન ક્લાસ લેતા ઘણા બાળકો પરીક્ષા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર નથી હોતા. સોશિયલ ડિસ્ટન્સના પાલનનાં પગલે બાળકો ઘરમાં જ મર્યાદિત થઈને રહી ગયા છે. જેના પગલે તેમનામાં ચિંતા, મૂડ સ્વિંગ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અથવા અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને પરીક્ષા માટે તૈયાર કરવા અને સ્વાસ્થ્યથી લઈને તેજ દિમાગ કરવા માટે, યાદશક્તિ વધારવા માટે યોગાસનની મદદ લઈ શકો છો. યોગ ઘણાં પ્રકારના શારિરિક અને માનસિક સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં મદદરૂપ છે. આ પરિસ્થિતિમાં કેટલાક ખાસ પ્રકારના યોગાસનનો અભ્યાસ બાળકો માટે લાભકારી સાબિત થાય છે.

તાડાસન - એકાગ્રતા:
અભ્યાસ માટે એકાગ્રતા જરૂરી છે. બાળકોના મનને એકાગ્ર કરવા માટે તાડાસન યોગનો અભ્યાસ કરાવો. તાડાસનથી બાળકોની શ્વાસ લેવાની ક્ષમતા વધે છે. તાડાસનનો યોગાભ્યાસ એનર્જી લેવલ વધારવામાં પણ મદદ કરે છે. યોગાસનથી તેમનો મૂડ સારો રહે છે અને ઊંચાઈ પણ વધે છે.

વૃક્ષાસન - તણાવમાં ઘટાડો:
પરીક્ષા દરમિયાન બાળકો તણાવમાં આવી શકે છે. ત્યાં જ બીજી બાજુ આખો દિવસ બેસીને અભ્યાસ કરવાથી શરીરમાં દુઃખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં, વૃક્ષાસન યોગનો અભ્યાસ માનસિક શાંતિ એટલે કે તણાવ ઘટાડવા અને શરીરના દુખાવામાં રાહત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બાળકોએ સવારે વૃક્ષાસન યોગ કરવો જોઈએ.

અધોમુખશ્વાસન - સુસ્તી દૂર કરે છે:
અધોમુખશ્વાસનનાં અભ્યાસથી શરીરમાં લચીલુપણુ આવે છે. ઉત્સાહ વધે છે અને સુસ્તી દૂર થાય છે. આ આસન કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. તેનાથી બાળકોના હાથ-પગ પણ મજબૂત થાય છે. કેટલીકવાર બાળકોને અભ્યાસ કરતી વખતે ઊંઘ આવે છે. આ આસનથી તેના માથામાં રક્ત પરિભ્રમણ વધે છે, મગજમાં યોગ્ય રીતે ઓક્સિજન પહોંચે છે અને એકાગ્રતા વધે છે.

ધનુરાસન- પીઠ અને કમરના દુઃખાવામાં રાહત:
જ્યારે બાળકો સતત અભ્યાસ કરે છે ત્યારે તેમને આખો દિવસ બેસી રહેવું પડે છે. જેના કારણે તેમની પીઠ પર દબાણ આવે છે. કમરના દુઃખાવાની પણ શક્યતા રહે છે. પરંતુ ધનુરાસનનો અભ્યાસ બાળકોની પીઠને મજબૂત બનાવે છે. તેમના હાથ અને પીઠના દુઃખાવામાં પણ રાહત મળે છે અને શરીરમાં લચીલાપણું આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news