PHOTOs માં જુઓ! સી.આર. પાટીલની દીકરી ધરતી દેવરે કોણ છે? આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આ વખતે નારીશક્તિનો જલવો જોવા મળી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં મિશન 45 ની કવાયતમાં ભાજપ સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે. મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સીટ શેરિંગની ચર્ચા વચ્ચે કેટલાક મહિલા ઉમેદવારોના નામ પણ ચર્ચામાં છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલના પુત્રી ધરતીનું નામ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે સી આર પાટીલ ગુજરાતના નવસારીથી ચૂંટણી લડશે જ્યારે તેમના પુત્રી ધરતી દેવરે મહારાષ્ટ્રની ધુલે લોકસભા બેઠકથી ચૂંટણી લડી શકે છે. 

નવસારીથી સતત ત્રીજીવાર ચૂંટાયા

1/5
image

કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવેલા સી આર પાટીલ 2019માં ગુજરાતની નવસારીની લોકસભા બેઠકથી સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા હતા. તેમણે 6.89 લાખ રેકોર્ડબ્રેક લીડથી જીત મેળવી હતી.   

ધુલેથી ચૂંટણી લડી શકે

2/5
image

સી આર પાટીલ મૂળ તો મહારાષ્ટ્રના જળગાંવના રહીશ છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી ભાવિની સાથે ધરતી પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ધરતી દેવરે લોકસભા ચૂંટણીમાં ધુલેથી ચૂંટણી લડી શકે છે. તેઓ ભાજપના ઉમેદવાર બની શકે છે.   

3/5
image

ધુલે લોકસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો કબજો છે. ડો. સુભા ભામરે અહીંથી સતત બે વાર જીતી ચૂક્યા છે. ધરતી દેવરે જિલ્લા પંચાયત સમિતિની ચૂંટણી જીતીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ધુલે જિલ્લા પરિષદના અધ્યક્ષ બન્યા હતા. જો આમ થયું તો 18મી લોકસભામાં પિતા સાથે પુત્રી ધરતી પણ સંસદમાં જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં આ વખતે 35 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી બીજેપી મહિલાઓને વધુ તક આપી શકે છે. 

મહિલાઓને વધુ ચાન્સ

4/5
image

બીડ લોકસભા બેઠકથી એકવાર ફરીથી પ્રીતમ મુંડેનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમની બહેન પંકજા મુંડેને પણ ટિકિટ મળવાની આશા છે. આ વખતે અમરાવતી બેઠકથી અપક્ષ સાંસદ નવનીત રાણા  ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત નંદુરબારથી હીના ગાવિતને તક મળી શકે છે. 

5/5
image

નાંદેડ લોકસભા સીટથી અશોક  ચૌહાણના ભત્રીજી મીનલ ખટગાંવકર ચૂંટણી લડી શકે છે. જ્યારે જળગાંવ બેઠકથી સ્મિતા વાઘલને તક મળી શકે છે. ભાજપ તરફથી એકવાર ફરીથી પૂનમ મહાજનને પણ ટિકિટ મળવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.