Photos : કરોડોની સંપત્તિને એકઝાટકે ત્યજીને આખા પરિવારે લીધી દીક્ષા

 મુંબઇના ભીંવડી ખાતે રહેતું અને કરોડોની સંપત્તિ ધરાવતા કોઠારી પરિવારના ચારેય સભ્યોએ આજે દિક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવ્યો છે. હજારોની સંખ્યામા લોકો આ દિક્ષા ગ્રહણ સમારોહમા ઉપસ્થિત રહ્યા હતા. આ પરિવારે સુરત ખાતે દીક્ષા લીધી હતી.

ચેતન પટેલ/સુરત : મુંબઇના ભીંવડી ખાતે રહેતું અને કરોડોની સંપત્તિ ધરાવતા કોઠારી પરિવારના ચારેય સભ્યોએ આજે દિક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવ્યો છે. હજારોની સંખ્યામા લોકો આ દિક્ષા ગ્રહણ સમારોહમા ઉપસ્થિત રહ્યા હતા. આ પરિવારે સુરત ખાતે દીક્ષા લીધી હતી.

દિક્ષા બાદ ચારેયને નવી દિશા અને જીવન મળ્યું

1/3
image

મૂળ રાજસ્થાન અને હાલ મુંબઇના ભીંવડીમા રહેતા રાકેશ કોઠારી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમા પત્નિ સીમા તથા સંતાનમા શૈલી અને મીત છે. શૈલી ધોરણ-12માં અભ્યાસ કરે છે અને મીત કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. આ પરિવારમાં સૌથી પહેલા માતા સીમાએ દિક્ષા લેવાની ઇચ્છા પતિ સમક્ષ મૂકી હતી. પત્નીનું દઢ મનોબળ જોઇ પતિ અને ત્યારબાદ બંને સંતાનોએ પણ દિક્ષા લેવાનું મનોબળ બનાવી દીધું હતું. આજે આ ચારેય પરિવારના સભ્યોએ કરોડો રુપિયાની સંપતિ છોડીને કૈલાસનગર જૈન સંઘ ખાતે સંયમનો માર્ગ અપનાવ્યો હતો. આજે આ દિક્ષા ગ્રહણ સમારોહમા જૈન સંઘના હજ્જારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. દિક્ષાની વિવિધ પ્રક્રિયામાથી પસાર થઇ આખરે ગુનરત્નેશ્વરજીએ આ ચારેયને દિક્ષા આપી નવા નામ સાથે નવુ જીવન આપ્યુ હતુ.

અત્યાર સુધી 410 દિક્ષા ગુનરત્નેશ્વરજીએ આપી છે

2/3
image

દિક્ષા આપનાર ગુનરત્નેશ્વર સુરિશ્વરજી મહારાજે અત્યાર સુધી 410 લોકોને દિક્ષા અપાવી છે, ત્યારે પરિવારના ચારેય સભ્યોને ગુનરત્નેશ્વરજી મહારાજે દિક્ષા ગ્રહણ કરાવી હતી.  

કરોડો રુપિયાની સંપતિ દાનમા આપી

3/3
image

કરોડો રુપિયાની સંપતિ છોડીને રાકેશભાઇ પણ પત્ની સીમા સાથે દિક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પોતાની આ કરોડોની મિલક્ત તેમને પશુ-પક્ષીના ઘાસચારા, ગરીબો માટે તથા જૈન સમાજના સારા કાર્યમાટે દાન કરવાનું નક્કી કરી દીધુ હતુ