શનિ દોષના કારણે જીવનમાં છે સમસ્યાઓ ? શનિ પીડાથી મુક્તિ મેળવવા 15 જુલાઈએ કરો આ કામ

Shani Dosh: શનિની સાડાસાતી અને પનોતી ખૂબ જ કષ્ટ આપે છે. તેથી જ લોકો પનોતીનું નામ આવતા જ ડરી જાય છે. ખાસ કરીને જો કુંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય તો જાતકને શનિ પીડા વધારે સહન કરવી પડે છે. શનિ દોષમાં વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી તકલીફ તમારા જીવનમાં પણ હોય તો 15 જુલાઈ અને શનિવારે કેટલાક ઉપાય કરી લેશો તો શનિદેવ સંબંધિત કષ્ટથી રાહત મળી શકે છે.

શનિ દોષના કારણે જીવનમાં છે સમસ્યાઓ ? શનિ પીડાથી મુક્તિ મેળવવા 15 જુલાઈએ કરો આ કામ

Shani Dosh: શનિની સાડાસાતી અને પનોતી ખૂબ જ કષ્ટ આપે છે. તેથી જ લોકો પનોતીનું નામ આવતા જ ડરી જાય છે. ખાસ કરીને જો કુંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય તો જાતકને શનિ પીડા વધારે સહન કરવી પડે છે. શનિ દોષમાં વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી તકલીફ તમારા જીવનમાં પણ હોય અને તમે શનિદોષના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો 15 જુલાઈ અને શનિવારનો દિવસ ખાસ દિવસ સાબિત થઈ શકે છે. આ દિવસે પ્રદોષ વ્રત છે અને જો તમે શનિવારે કેટલાક ઉપાય કરી લેશો તો શનિદેવ સંબંધિત કષ્ટથી રાહત મળી શકે છે. 

આ પણ વાંચો:

પંચાંગ અનુસાર હાલ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની પનોતીનો પ્રકોપ છે. સાથે જ મકર, કુંભ અને મીન રાશિ ઉપર પણ સાડાસાતીનો પ્રભાવ છે. આ રાશિના જાતકો જો 15 જુલાઈ અને શનિ પ્રદોષ વ્રતના દિવસે કેટલાક ઉપાય કરે તો સાડાસાતીના કારણે તેમને થતી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.

15 જુલાઈ 2023 અને શનિવારે શનિ પ્રદોષ વ્રત છે. આ દિવસે ભોળાનાથની ઉપાસના કરવાથી અને વ્રત કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. સાથે જ કાળા કપડામાં અડદ બાંધી અને શનિદેવને અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી શનિદેવની કૃપા વ્યક્તિ ઉપર રહે છે અને શનિ દોષથી રાહત મળે છે.

 
(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news