Budh Uday 2023: બુધ ગ્રહ થશે ઉદય, જાણો કઈ કઈ રાશિને આ બુધ ગ્રહના ઉદય થવાથી થશે ફાયદો

Budh Uday 2023: કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ બળવાન હોય ત્યારે વ્યક્તિને વેપાર-ધંધામાં સફળતા મળે છે. જો કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને જીવનમાં અને કારર્કિદીમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. બુધનું રાશિ પરિવર્તન, તેનો ઉદય અને અસ્ત આ તમામ ઘટનાઓની અસર 12 રાશિઓના જાતકોના જીવન પર જોવા મળે છે. આ વખતે પણ બુધ ગ્રહના ઉદય થવાથી તેનો પ્રભાવ 3 રાશિના લોકોના જીવન પર જોવા મળશે.

Budh Uday 2023: બુધ ગ્રહ થશે ઉદય, જાણો કઈ કઈ રાશિને આ બુધ ગ્રહના ઉદય થવાથી થશે ફાયદો

Budh Uday 2023: પંચાંગ અનુસાર 14 જુલાઈ 2023ના રોજ બુધ કર્ક રાશિમાં ઉદય થશે. બુધના ઉદય થવાથી ઘણી રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. બુધ ગ્રહ કુશળતા, સફળતા, તર્ક, બુદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ બળવાન હોય ત્યારે વ્યક્તિને વેપાર-ધંધામાં સફળતા મળે છે. જો કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને જીવનમાં અને કારર્કિદીમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. બુધનું રાશિ પરિવર્તન, તેનો ઉદય અને અસ્ત આ તમામ ઘટનાઓની અસર 12 રાશિઓના જાતકોના જીવન પર જોવા મળે છે. આ વખતે પણ બુધ ગ્રહના ઉદય થવાથી તેનો પ્રભાવ 3 રાશિના લોકોના જીવન પર જોવા મળશે. 

બુધના ઉદયથી આ 3 રાશિઓને થશે લાભ

આ પણ વાંચો:

મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 જુલાઈના રોજ કર્ક રાશિમાં બુધનો ઉદય થવાનો છે. આ દરમિયાન મેષ રાશિના લોકોને શુભ ફળ મળશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોના કામમાં પ્રગતિ જોવા મળશે અને અટકેલા કાર્યોને ગતિ મળશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. નોકરી કરતા લોકોના કરિયરમાં સારી પ્રગતિ થશે. પ્રમોશનની સંભાવના છે. જૂના રોગોથી રાહત મળશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

બુધના ઉદય થવાથી આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. કરેલા પ્રયત્નો સફળ થશે. માન-સન્માન વધશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. આ સમયગાળા દરમિયાન કારકિર્દીમાં વૃદ્ધિ અને પ્રગતિ થશે. પૈસા કમાવવામાં સફળતા મળશે. પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે મહેનત કરવી પડશે. નોકરીયાત લોકોને આ સમય દરમિયાન સારી તકો મળશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે.

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકોને બુધના ઉદય થવાથી લાભ થશે. આ દરમિયાન પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પણ તમને સારી સફળતા મળશે. વિદેશમાં રહેતા લોકોના કરિયરમાં સારી પ્રગતિ જોવા મળશે. ધન લાભ થશે. નોકરીયાત લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારીઓ તેમના કામકાજને વિસ્તારવામાં સફળ થશે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news