અશક્યને શક્ય બનાવ્યું : દેશની 1300 વર્ષ જૂની પરંપરાનો અંત, SC-ST સમાજના ચાર સંત બન્યા મહામંડલેશ્વર

SC-ST Mahamandaleshwar Appointment : ભારતીય સમાજમાં સમાનતા તરફ પરિવર્તનની ઐતિહાસિક ઘટના "પટ્ટાભિષેકમ" અમદાવાદના આંગણે યોજાઈ, SC અને ST સંત/મહાત્માઓની મહામંડલેશ્વર તરીકે ઐતિહાસિક નિમણૂંક કરાઈ
 

અશક્યને શક્ય બનાવ્યું : દેશની 1300 વર્ષ જૂની પરંપરાનો અંત, SC-ST સમાજના ચાર સંત બન્યા મહામંડલેશ્વર

Revolutionary Change In Indian Society : ભારતીય સમાજ હવે ક્રાંતિ અને સમાનતાના માર્ગે આગળ વધી રહ્યો છે. ત્યારે દેશની 1300 વર્ષ જૂની પરંપરાનો આખરે અંત આવ્યો છે. દેશમાં પહેલીવાર SC-ST સમાજના ચાર સંતને મહામંડલેશ્વરની પદવી અપાઈ છે. આ એક મોટી ઘટના છે. ચારેય એસસી-એસટી સંતો પર પાણી, દૂધ, પંચામૃત, મધનો અભિષેક કરાયો હતો. સંત સમાજના ઈતિહાસમાં સૌપ્રથમવાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી.

કોને કોને આ ઉપાધિ મળી

  • સંત શામળદાસજી ગુરુ મંગળદાસજી, રાજકોટ
  • સંત શામળદાસજી ગુરુ પ્રેમદાસજી, ભાવનગર
  • સંત કૃષ્ણવદનજી હરિપ્રસાદજી મહારાજ, સુરેન્દ્રનગર
  • સંત કિરણદાસજી મોહનદાસજીબાપુ, ભાવનગર

અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં SC અને ST સંત/મહાત્માઓની મહામંડલેશ્વર તરીકે ઐતિહાસિક નિમણૂંક કરાઈ હતી. જેમાં ગુજરાતના ભાવનગરના બે, રાજકોટ અને સુરેન્દ્રનગરના એક-એક એમ ચાર સંતને પૂજાવિધિ અને મંત્રોચ્ચાર અને અભિષેક કરી મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી. સંતો મહંતો દ્વારા ચારેય સંતો પર પાણી, દૂધ, પંચામૃત, મધ વગેરેનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ભારતમાંથી 8000થી વધુ સનાતન સમર્થકોએ હાજરી આપી હતી.

1300 વર્ષ જૂની પરંપરાને બદલવાની ઐતિહાસિક પહેલ
રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને વન મોર ચાન્સ (એનજીઓ)ના મુખ્ય ટ્રસ્ટી રાજેશ શુક્લા અને સ્વામી નારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફની ઐતિહાસિક પહેલનું નેતૃત્વ કરે છે. તેમણે અશક્યને શક્ય બનાવ્યું છે. પુરષોત્તમ શાસ્ત્રીજી મહારાજે 2024 માટે અમદાવાદ, ભારતમાં આ મહત્વપૂર્ણ પહેલનું સંયુક્તપણે આયોજન કર્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમનું નેતૃત્વ અખાડા પ્રમુખના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરી મહારાજ અને મહંત અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ હરિ ગિરી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્રપુરી મહારાજ અને હરિગીરી મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદના સચિવ અને જુના અખાડા ઇન્ટરનેશનલના અધ્યક્ષના જાગ્રત કારભાર હેઠળ 1300 વર્ષ જૂની પરંપરાને સુધારવા માટે છે. 

આ પ્રસંગે ભાજપના પૂર્વ સાંસદ અમર સાબલેજીએ કહ્યુ હતું કે, આ એવી વાત છે જે કોઈની કલ્પના બહાર હતી કે 1300 વર્ષ જૂની પરંપરાનો અંત આવશે અને વધુ સારા સમાજ માટે નવા યુગની શરૂઆત થશે. આપણે બધા આજે અહીં રચાયેલા ઇતિહાસના સાક્ષી છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news