Vastu Tips: પતિ તરફથી ન મળતો હોય પ્રેમ અને વારંવાર થતા હોય ઝઘડા તો ઘરની આ દિશામાં રાખો એલોવેરાનો છોડ

Aloe Vera Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર એલોવેરાના કેટલાક સરળ ઉપાય કરીને વ્યક્તિ પોતાની સફળતામાં આવતી બાધાઓને દૂર કરી શકે છે અને સાથે જ દાંપત્યજીવનને પણ મધુર બનાવી શકે છે. તો ચાલો તમને જણાવીએ એલોવેરાના આવા જ કેટલાક ચમત્કારી ઉપાય.

Vastu Tips: પતિ તરફથી ન મળતો હોય પ્રેમ અને વારંવાર થતા હોય ઝઘડા તો ઘરની આ દિશામાં રાખો એલોવેરાનો છોડ

Aloe Vera Vastu Tips: એલોવેરાને આયુર્વેદમાં એક જડીબુટ્ટી કહેવાય છે. એલોવેરાનો ઉપયોગ કરીને શરીરને નિરોગી રાખી શકાય છે તેમજ ત્વચા અને વાળને સુંદર બનાવી શકાય છે. જોકે એલોવેરા એવો છોડ છે જેનું મહત્વ આયુર્વેદની સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એલોવેરાના કેટલાક સરળ ઉપાય કરીને વ્યક્તિ પોતાની સફળતામાં આવતી બાધાઓને દૂર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ એલોવેરાના આવા જ કેટલાક ચમત્કારી ઉપાય.

એલોવેરાના ચમત્કારી ઉપાયો

નોકરીની સમસ્યાઓ માટે

જો તમે નોકરી સંબંધિત સમસ્યા ઘરની પશ્ચિમ દિશામાં એલોવેરાનો છોડ લગાડો. તેનાથી તમારા જીવનના પ્રગતિના રસ્તા ખુલી જશે સાથે જ ઘર પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

લવ લાઈફ માટે

જો તમારો લવ પાર્ટનર અથવા તો પતિ તમારી સાથે ઝઘડો કરતો હોય અને તમારી વચ્ચે સતત મનમુનાવ રહેતો હોય તો ઘરની પૂર્વ દિશામાં એલોવેરાનો છોડ રાખો. આમ કરવાથી લવલાઇફ અને પારિવારિક જીવનમાં પ્રેમ વધે છે.

આર્થિક સમસ્યા દૂર કરવા

જો તમારી સ્થિતિ આર્થિક રીતે નબળી છે અને ઘરમાં હંમેશા ધનની સમસ્યા રહે છે તો તમે તમારા ઘરની બાલકની અથવા તો બગીચામાં એલોવેરાનો છોડ લગાડો. આમ કરવાથી ઘરમાં ધન આકર્ષિત થાય છે અને મન પણ શાંત રહે છે.

આ દિશામાં ન રાખો એલોવેરા

એલોવેરાનો છોડ ઘરમાં રાખવો શુભ ગણાય છે. પરંતુ જો તમે તેને ખોટી દિશામાં રાખો છો તો તે અશુભ પરિણામ આપે છે. વાસ્તુ અનુસાર એલોવેરાનો છોડ હંમેશા યોગ્ય દિશામાં જ રાખવો જોઈએ. આ છોડને ભૂલથી પણ ઉત્તર પશ્ચિમ દિશામાં ન રાખતા. તેનાથી ઘરની સમસ્યાઓ વધવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news