ધોની મચાવશે ધુમ: મેનેજરે કહ્યું સંન્યાસ લેવાનો કોઇ  જ ઇરાદો નથી

ભારતીય ટીમના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના સમાચારો વચ્ચે તેના મેનેજર અને મિત્ર અરૂણ પાંડેનું નિવેદન સામે આવ્યું છે. અરૂણ પાંડેએ કહ્યું કે, ધોનીનો હાલ સંન્યાસનો કોઇ જ ઇરાદો નથી. હાલ માહી રમત માટે સંપુર્ણ ફીટ છે. હાલમાં માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઇ જ આયોજન નથી. 

ધોની મચાવશે ધુમ: મેનેજરે કહ્યું સંન્યાસ લેવાનો કોઇ  જ ઇરાદો નથી

નવી દિલ્હી : ભારતીય ટીમના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના સમાચારો વચ્ચે તેના મેનેજર અને મિત્ર અરૂણ પાંડેનું નિવેદન સામે આવ્યું છે. અરૂણ પાંડેએ કહ્યું કે, ધોનીનો હાલ સંન્યાસનો કોઇ જ ઇરાદો નથી. હાલ માહી રમત માટે સંપુર્ણ ફીટ છે. હાલમાં માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઇ જ આયોજન નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા ટીમ ઈન્ડિયાના પરાજય બાદ પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીના સંન્યાસ લેવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ એમએસ ધોની, કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી તેના પર બોલવા તૈયાર નહોતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news