IPL 2021: ધોની બાદ આ ખેલાડી બનશે CSK નો કેપ્ટન? જાડેજાના ટ્વીટથી મચ્યો હંગામો

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે અનેક મુકામ હાંસલ કર્યા છે. ધોનીએ CSKને 3 વાર IPLની ટ્રોફી જીતાવી છે. જો કે આ વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ આ IPL સિઝન બાદ મહેન્દ્ર સિંહ ધોની આ લીગથી વિદાય લઈ શકે.

IPL 2021: ધોની બાદ આ ખેલાડી બનશે CSK નો કેપ્ટન? જાડેજાના ટ્વીટથી મચ્યો હંગામો

ચેન્નઈ: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે અનેક મુકામ હાંસલ કર્યા છે. ધોનીએ CSKને 3 વાર IPLની ટ્રોફી જીતાવી છે. જો કે આ વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ આ IPL સિઝન બાદ મહેન્દ્ર સિંહ ધોની આ લીગથી વિદાય લઈ શકે. સોશિયલ મીડિયામાં અનેક અટકળો લગાવવામાં આ આવી રહી છે કે ધોની બાદ CSKનો કેપ્ટન કોણ હશે? તેવામાં CSKના ઓલરાઉન્ડર  રવિન્દ્ર જાડેજાએ એક ટ્વીટ કરી ટ્વિટર પર હંગામો મચાવી દીધો.

No description available. 

ચાહકોએ પૂછ્યું ધોની બાદ કોણ હશે કેપ્ટન-
CSK ફેન્સ આર્મી ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ધોની બાદ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કોણે મળશે? જ્યારે આ સવાલ કરવામાં આવ્યો ત્યારે રવિન્દ્ર જાડેજાએ એવો જવાબ આપ્યો કે સૌ કોઈ ચોંકી ઉઠ્યા...રવિન્દ્ર જાડેજાએ ટ્વીટમાં 8 લખ્યું. આપને જણાવી દઈએ કે નં.8 એ રવિન્દ્ર જાડેજાની જર્સીનો નંબર છે. એટલે કે જાડેજાએ આડકતરી રીતે કહ્યું કે CSKના આગામી કેપ્ટન તે હશે. આ ટ્વીટ બાદ જ્યારે ચાહકોની કમેન્ટ્સ વધવા લાગી તો જાડેજાએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું.

સ્ક્રિનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ-
જાડેજાના આ ટ્વીટનો સ્ક્રિનશોટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા આવનારા દિવસોમાં CSKના કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજામાં તે તમામ ગુણ છે, જેથી તેઓ CSKના કેપ્ટન બની શકે છે. શ્રેષ્ઠ બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં માહેર રવિન્દ્ર જાડેજા CSKમાં ધોનીના ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news