Shreyas Iyer ના ખભાની સર્જરી સફળ, મેદાન પર વાપસીને લઈને આપ્યો ખાસ મેસેજ

23 માર્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ ખસી ગયું હતું. ઈંગ્લેન્ડની ઓવરની 8મી ઓવરમાં જ્યારે અય્યરે ફીલ્ડિંગ કરવા માટે ડાઇવ લગાવી ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. 
 

Shreyas Iyer ના ખભાની સર્જરી સફળ, મેદાન પર વાપસીને લઈને આપ્યો ખાસ મેસેજ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા  (Team India) ના બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ  (ODI Series) માં ઈજા થઈ હતી ત્યારબાદ તે આઈપીએલ 2021 (IPL 2021) ની સીઝનમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની સારવારને લઈને મોટા સમાચાર આવ્યા છે. ૉ

શ્રેયસના ખભાની સફળ સર્જરી
શ્રેયસ અય્યર  (Shreyas Iyer) એ હોસ્પિટલમાંથી પોતાની લેટેસ્ટ તસવીર શેર કરતા પોતાના ફેન્સને શાનદાર મેસેજ કર્યો છે. અય્યરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યુ, સર્જરી સફળ રહી અને સિંહની જેમ દ્રઢ સંકપ્લની સાથે હું જલદી વાપસી કરીશ. તમારા બધા લોકોનો શુભકામનાઓ માટે આભાર.

ફીલ્ડિંગ સમયે થઈ હતી ઈજા
23 માર્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ ખસી ગયું હતું. ઈંગ્લેન્ડની ઓવરની 8મી ઓવરમાં જ્યારે અય્યરે ફીલ્ડિંગ કરવા માટે ડાઇવ લગાવી ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. 

ઈજા છતાં મળશે પૂરો પગાર
આ વર્ષે આઈપીએલમાંથી અય્યર બહાર થઈ ગયો છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ શ્રેયસ અય્યરને પૂરો પગાર આપશે. એક સીઝન માટે અય્યરને સાત કરોડ રૂપિયા મળે છે. ફ્રેન્ચાઇઝી તેને આ રકમ આપશે. તેને ખેલાડી વીમા યોજના હેઠળ રકમની ચુકવણી કરવામાં આવશે. 

રિષભ પંત દિલ્હીનો કેપ્ટન
દિલ્હી કેપિટલ્સે 2021ની આઈપીએલ સીઝન માટે અય્યરના સ્થાને રિષભ પંતને કેપ્ટન બનાવ્યો છે. પંત લાંબા સમયથી આ ટીમ સાથે આઈપીએલમાં રમી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news