IND vs NZ : વિરાટ કોહલી ન્યુઝિલેન્ડ સામેની છેલ્લી 2 વન ડે અને ટી20 શ્રેણી નહીં રમે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું છે કે, વિરાટ કોહલી પર ક્રિકેટના વધી રહેલા દબાણને જોતાં તેને થોડો સમય આરામ આપવાનો નિર્ણય લીધો છે, કેમ કે આ વર્ષે ભરચક ક્રિકેટ કાર્યક્રમ છે, વિરાટના સ્થાને રોહિત શર્મા સંભાળશે અંતિમ બે વનડે અને ટી20 શ્રેણીની કમાન 

IND vs NZ : વિરાટ કોહલી ન્યુઝિલેન્ડ સામેની છેલ્લી 2 વન ડે અને ટી20 શ્રેણી નહીં રમે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝિલેન્ડ સામેની 5 વન ડે શ્રેણીમાંથી અંતિમ બે વન ડે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ બુધવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યૂઝિલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પણ કોહલી નહીં રમે. વિરાટ કોહલીને 6 મહિનામાં બીજી વખત આરામ આપવામાં આવ્યો છે. આ અગાઉ તેને એશિયા કપમાં પણ આરામ અપાયો હતો. 

બીસીસીઆઈએ બુધવારે જણાવ્યું કે, 'ટીમ મેનેજમેન્ટ અને વરિષ્ટ પસંદગી સમિતિએ છેલ્લા કેટલાક મહિનામાં કોહલી પર કામના દબાણને જોતાં તેને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ સીરીઝ પહેલા આરામ આપવાનો નિર્ણય લીધો છે.' ભારતીય ટીમ ન્યુઝિલેન્ડના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયા સામે ફરી એક વખત વન ડે શ્રેણી રમશે. આ શ્રેણી ભારતમાં જ રમાવાની છે. ત્યાર બાદ માર્ચ-એપ્રિલ-મે મહિનામાં ભારતમાં જ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) પણ રમાવાની છે. 

બીસીસીઆઈએ જણાવ્યું કે, 'કોહલીના સ્થાને ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણીમાં કોઈ અન્ય ખેલાડીનો સમાવેશ કરાયો નથી. ચોથી અને પાંચમી વન ડે અને ટી20 શ્રેણીમાં રોહિત શર્મા કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન રહેશે.' વિરાટ કોહલીને રેસ્ટ અપાયા બાદ શુભમન ગિલને તક મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news