અનંત કુમાર News

કર્ણાટકમાં BJPના ફાયરબ્રાન્ડ નેતા કહેવાતા અનંત કુમાર તેમની આ 10 ખાસિયતોને
 બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન થયું છે. રવિવારે મોડી રાત્રે અંદાજે બે વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગત કેટલાક મહિનાઓથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. અનંત કુમાર કર્ણાટકના બેંગલુરુ સાઉથના સાંસદ હતા. તે કેન્દ્ર સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી અને પોતાની કેબિનટના સાથી અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કુમાર ઉમદા નેતા હતા. જેઓ પોતાના યુવા કાળમાં જ સાર્વજનિક જીવનમાં ઉતરી આવ્યા હતા. તેમણે પૂરતી નિષ્ઠા અને લગનની સાથે સમાજની સેવા કરી હતી. તેમણે સારા કાર્યો માટે હંમેશા યાદ કરવામાં આવશે.
Nov 12,2018, 11:19 AM IST

Trending news