આત્મનિર્ભર News

Success Story : ભગવાને કદ ભલે નાનું આપ્યુ, પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્ય
ચેતન પટેલ/સુરત :કહેવાય છે કે અડગ મનનો માનવી ગમે તે શિખર સર કરી શકે છે. સુરતની ઓછા કદની દિવ્યાંગ યુવતી પણ આ જ રીતે સફળતાના ડગ માંડી રહી છે. જહાંગીરપુરા ખાતે રહેતી માત્ર 3 ફૂટની કદ ધરાવતી દિવ્યા પ્રજાપતિ અન્ય દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ બની છે. કારણ કે અભ્યાસની સાથે સાથે નાનપણમાં જ તેને પેન્સિલ વડે સ્કેચવર્ક કરવાનો અનેરો શોખ હતો. પીએમ મોદીના આત્મનિર્ભર મંત્રથી પ્રભાવિત થઈ તેણે આ શોખને કોરોનાકાળ દરમિયાન અન્ય કોઇ પ્રવૃત્તિ નહિ હોવાના લીધે તેને પોતાના વ્યવસાય તરીકે અપનાવી લીધો છે. હાલ તે પોતાના પેઇન્ટિંગ સોશિયલ મીડિયામાં ઓનલાઈન તથા ઓફલાઇન વેચીને આત્મનિર્ભર બની છે. જે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 
Jun 5,2022, 8:10 AM IST

Trending news