આર્મી જવાન News

હંદવાડના શહીદોને PM મોદીએ કર્યું નમન, તેમની બહાદુરી ક્યારે પણ દેશ નહી ભુલી શકે
May 3,2020, 17:26 PM IST
પાલનપુરમાં ફરી એકવાર વરઘોડા પર હૂમલો, આર્મી જવાને ઠાલવી પોતાની વ્યથા
સરીપડા ગામે આર્મીમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના યુવકના વરઘોડામાં ગામના કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. અફરાતફરી મચી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામડાઓમાં જાતિવાદની ઝહેર ફેલાયેલું છે. પાલનપુરના સરીપડા ગામનો આકાશ કોઈટિયા  નામનો યુવક આર્મીમાં ફરજ બજાવે છે, તેના લગ્ન હોવાથી ગામમાં વરઘોડો કાઢવા માટે તેને ઘોડી મંગાવી હતી. ત્યારે ગામમાં અનુસૂચિત જાતિના યુવક દ્વારા વરઘોડો કાઢવાની વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને મળતાં તેમણે યુવકના પરિવારને ધમકી આપી હતી. જો તેઓ ઘોડી ઉપર ચડીને ગામમાં આવશે તો મોટી બબાલ થશે, ત્યારે ગભરાયેલા પરિવારજનોએ આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો ત્યારે કેટલાક અસામાજીક લોકોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.
Feb 17,2020, 20:35 PM IST

Trending news