એમબીબીએસ News

સુરત: MBBS ની ફાઇનલ યરની પરીક્ષાનો વિરોધ, ડીને કહ્યું પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ચોથી ઓગષ્ટથી MBBS ની અંતિમ વર્ષની પરીક્ષાની તારીખો જાહેર થઇ છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે ખચકાઇ રહ્યા છે. પરીક્ષાના કારણોથી અપડાઉન અથવા શહેરમાં રહેવાની વ્યવસ્થા કઇ રીતે કરવી તે વિદ્યાર્થીઓ માટે સવાલ છે. આ ઉપરાંત કોઇ પણ રીતે તેઓ સંક્રમિત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો થઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારીઓ પણ નહી કરી શક્યા હોવા ઉપરાંત લોકડાઉનનાં કારણે કેટલોક અભ્યાસક્રમ પણ બાકી છે તેવામાં પરીક્ષા કઇ રીતે લઇ શકાય તેવો સવાલ થયો છે. 
Jul 28,2020, 16:34 PM IST

Trending news