કિડની સ્પેશિયાલિસ્ટ News

ડો.એચ.એલ ત્રિવેદીના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા, દૂધેશ્વ
વિશ્વ પ્રસિદ્ઘ કિડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ ડો.એચ.એલ ત્રિવેદીનું ગઈકાલે 90 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે આજે તેમની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલાં તેમના પાર્થિવ દેહને અમદાવાદની કિડની હોસ્પિટલમાં દર્શન માટે રખાયો. આ એ જ હોસ્પિટલ છે, જે ડો.ત્રિવેદીને કારણે બની છે. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકાશે. જેના બાદ અંતિમક્રિયા માટે પાર્થિવ દેહને દુધેશ્વર લઈ જવાશે. ત્યારે હાલ મોટી સંખ્યામાં શુભેચ્છકો તથા ડો.એચ.એલ ત્રિવેદીના વિદ્યાર્થીઓ કિડની ઈન્સ્ટિટ્યૂટમાં તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ડો.એલ.એલ.ત્રિવેદીએ વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે. 
Oct 3,2019, 10:20 AM IST

Trending news