બરોડા ડેરી News

સળગતો મુદ્દો : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો કેતન ઈનામદારનો આક્ષેપ
વડોદરા (Vadodara) માં બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સળગ્યો છે. વડોદરામાં બરોડા ડેરીના સત્તાધિશો પર સભાસદોનું શોષણ કરવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રી ઈશ્વર પટેલને આ અંગે પત્ર લખી રજૂઆત કરી છે. બરોડા ડેરી (baroda dairy) સભાસદોને નફો આપતી નથી તેમજ દાણની કાચા માલની ખરીદી તેમની મળતિયા એજન્સી કરે છે તેવા પ્રકારની રજૂઆત કેતન ઈનામદારે તેમના પત્રમાં કરી છે. ધારાસભ્યએ બરોડા ડેરી પર કાચા માલમાં ભેળસેળ કરવાના પણ આરોપ લગાવ્યા છે. તો બરોડા ડેરીમાં શોષણ થવાના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવેલા આક્ષેપનો ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જવાબ આપ્યો છે. 
Sep 4,2021, 14:06 PM IST

Trending news