સાંતલપુર News

પાટણ: સાંતલપુરમાં કેનાલના ગાબડાની કામગીરી હાથ ધરાઇ
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામેથી પસાર થતી નર્મદા ની મયનોર કેનાલમાં ગાબડા અને એકવાર પણ પાણીના છોડાયું હોવા છતાં કેનાલ બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે ખેડૂતોનો રવી પાક મુશ્કેલીમાં મુકાઈ જતા ખેડૂતોના વાહરે ઝી 24 કલાક આવતા અને તેમની મુશ્કેલીનો સમગ્ર અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારીત થતા નર્મદા વિભાગ ના અધિકારીઓ સફાળા જાગી મઢુંત્રા ગામે બિસ્માર કેનાલની સ્થિતિ જોયા બાદ તાત્કાલિક જે.સી.બી મશીનો સાથે રાખી નર્મદાના અધિકારીઓ દવરા કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી 10 દિવસમાં કેનલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ખેડૂતોને કેનાલ થકી સિંચાઈ માટે પાણી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઝી 24 કલાક ના સમગ્ર અહેવાલને પગલે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવતા તેઓ એ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો .
Feb 4,2020, 11:15 AM IST

Trending news