પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માત, ચાર લોકોના મોત

સાંતલપુર તાલુકાના હાઇવે પર બાબરા ગામના પાટિયા નજીક આ ઘટના બની હતી.

પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માત, ચાર લોકોના મોત

પાટણઃ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. બાબરા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને ઇકો ગાડી વચ્ચે આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

ઘટના સ્થળે ચાર લોકોના મોત
સાંતલપુર તાલુકાના હાઇવે પર બાબરા ગામના પાટિયા નજીક આ ઘટના બની હતી. ઇકો ગાડી અને ટ્રેલર સામ-સામને ટકરાતા ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇકો ગાડીમાં સવાર લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસના કોફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news