14 september news News

કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન જ એક રસ્તો, રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન
શહેર હોય કે ગામડા, સતત કોરોનાનો કહેર (corona virus) વધી રહ્યો છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન તો હટાવી દીધું છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા ગુજરાતમાં લોકો હવે સ્વયંભૂ લોકડાઉન (self lockdown) અપનાવી રહ્યાં છે. સંક્રમણ અટકાવવુ હશે તો સ્વંયભૂ લોકડાઉન જ એક રસ્તો છે તેવુ લોકો સમજી ગયા છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લૉકડાઉન છે. 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ છે. તો આ ઉપરાંત જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. 
Sep 14,2020, 8:18 AM IST

Trending news