3 july news News

ભારતમાં બનેલી બંને કોરોના વેક્સીનને બનાવવામાં ગુજરાતનો મોટો રોલ
Jul 3,2020, 16:20 PM IST
રાજકોટ : કપાસની ખરીદી બંધ કરતા આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ કર્યો
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ઘણા તાલુકા 50 ટકાથી પણ વધુના ખેડૂતોની કપાસની ખરીદી બાકી છે. બીજી તરફ જે પણ ખરીદી થઈ રહીં છે તે ખૂબ ધીમી ગતિએ થઈ રહી હોવાનો કિસાન સંઘ આક્ષેપ કરી રહ્યા છે. હજી ઘણા ખેડૂતો એવા પણ છે કે, જેમના નામ નોંધણી થઈ ગયા છે. તેમનો પણ હજી વારો નથી આવ્યો, જેને લઈને કિસાન સંઘ દ્વારા આજે કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી. જોકે કિસાન સંઘમાં આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો.
Jul 3,2020, 13:16 PM IST
આ વર્ષે અમદાવાદમાં ગણપતિના મોટા પંડાલ નહિ લાગે, મૂર્તિઓ પણ 2 ફૂટની હશે
કોરોના મહામારીમાંથી સમગ્ર દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાનને તહેવારોની ઉજવણી સાદાઈથી કરવા આહ્વાન કર્યું છે. ત્યારે આગામી ગણેશ ઉત્સવને લઈ અમદાવાદમાં મોટા ગણપતિના પંડાલ નહિ લાગે. પરંપરાને જાળવવા માટે માત્ર 2 ફૂટની માટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં કોરોના અવેરનેસના કાર્યક્રમો કરવાનો નિર્ણય અનેક યુવા મંડળોએ લીધો છે. અમદાવાદમાં મણિનગરમાં આવેલી દક્ષિણી સોસાયટી જ્યાં બહુ મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે તે પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન ફોલો કરીને ગણેશ ઉત્સવ ઉજવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 2 ફૂટની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. શિવશક્તિ યુવક મંડળના દક્ષિણ ચા રાજાના પ્રમુખ પરાગ નાઈકે કહ્યું કે, અમે સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવીશું. 
Jul 3,2020, 12:10 PM IST
અમરેલી કલેક્ટરનું જાહેરનામુ, જિલ્લામાં પ્રવેશતી દરેક બસનું ડિસ-ઈન્ફેક્શન નહિ થાય તો
Jul 3,2020, 10:55 AM IST
ચાર યુવકો એક જ બાઈક પર જઈ રહ્યા હતા, હિંમતનગર પાસે ખાલી કેનાલમાં પડતા એકનું મોત
સાબરકાંઠા હિંમતનગર હાજીપૂર પાસે કેનાલમાં બાઇક ખાબકતા એક યુવકનું મોત નિપજ્યું છે. તેમજ તેની સાથે બાઈક પર બેસેલ અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકો બાઈક પર અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. એક બાઈક પર ચાર યુવાનો સવાર હતા. હાજીપુર પાસેની ખાલી કેનાલ પાસેથી પસાર થતા સમયે લાઈટથી અંજાઈ જતા બાઈક કેનાલમાં ખાબક્યું હોવાનું પ્રાથમિક તારણ એ-ડિવિઝન પોલીસે કાઢ્યું છે. વહેલી સવારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃત યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો છે. તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 
Jul 3,2020, 9:56 AM IST
અન્ય રાજ્યોમાં પરીક્ષા લેવાઈ રહી છે તો ગુજરાતમાં કેમ નહીં? રેસિડન્ટ્સ તબીબોએ કરી પરી
Jul 3,2020, 8:02 AM IST

Trending news