Both News

સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત
LRD ભરતી મુદ્દે મહિલા ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત લાવવા રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે. આ મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબમુખ્યમંત્રી નીતન પટેલની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે.  આ બેઠકબાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને જુનો પરિપત્ર આ ભરતીમાં લાગુ નહી પડે તેવું જણાવ્યું હતું. 1 ઓગષ્ટ 2018નાં પરિપત્રની જોગવાઇને ધ્યાને નહી લેવામાં આવે અને જે ઉમેદવારને 62.5 ટકાથી વધારે માર્ક હશે તેનો સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે અને તેનાં માટે સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Feb 16,2020, 21:32 PM IST

Trending news