Complaints filed News

ગુજરાતમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગરમાં એક સાથે 3 ફરિયાદ દાખલ
ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીનાં હકોને સાચવવા માટે કાયદો લવાયો તેની શરૂઆત ભાવનગરથી થઇ છે. ભાવનગરમાં આજે એક સાથે ત્રણ ફરિયાદ આ કાયદા અનુસાર નોંધાઇ છે. પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી જમીન પર છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખુ ઉભુ કરી જમીનનો કબજો ખાલી નહી કરવા અંગેની સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા નોંધાવવામાં આવી છે.
Jan 2,2021, 23:47 PM IST

Trending news