Diamond industry loss News

દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી
કોરોના વાયરસને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાના દ્વાર બંધ રહેશે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ (Dwarka temple close) રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે તેવો દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. કૉવિડ 19 સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે જગત મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવાયા છે, ત્યારે 5247મી જન્માષ્ટમી ઉત્સવનો ઉત્સવ બંધ બારણાની અંદર કેવી રીતે ઉજવાશે તે જાણવાની દરેકમાં તાલાવેલી છે. ત્યારે જગત મંદિરના પૂજારીએ ઉત્સવ ઉજવણીની માહિતી આપી છે. 
Aug 10,2020, 15:51 PM IST

Trending news