Indira gandhi stadium News

પોતાનું લોહી રેડીને કારગિલ કબ્જે કરનારા જવાનોને PM મોદીની શબ્દાંજલી
દેશની રાજધાની દિલ્હી ખાતે આવેલા ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કારગિલ વિજય દિવસ સમારોહમાં પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. અહિંયા પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીએ પ્રદર્શનકારીઓને જોયા હતા. અહિંયા વડાપ્રધાન મોદીએ કારગિલમા શહિદ થનારા સૈનિકોને નમન કર્યું હતું. આ સમારોહમાં સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કારગિલના શૂરવીરોને નમન કરતા કહ્યું કે, 20 વર્ષ પહેલા જે વીરગાથા લખવામાં આવી તે આવાનારી પેઢીઓને પ્રેરણા આપે છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સાંજ ઉત્સાહ ભરે છે, વિજયનો સ્વાદ ભરે છે. અને ત્યાગ તથા સમર્પણ સાથે શૂરવીરો માટે માથુ ઝુકાવવાની પ્રેરણા આપે છે, તેમણે કહ્યું કે, કારગિલની જીત દેશના સંકલ્પ અને સામર્થ્યની જીત છે. આ દેશના અનુશાશનની જીત છે.
Jul 27,2019, 23:15 PM IST

Trending news