Mbaji News

ભાદરવી પૂનમ વગર અંબાજીમાં મેળા જેવો માહોલ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
યાત્રાધામ અંબાજી (Ambaji) માં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે, અને મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રિ માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. સંઘના 151 જેટલા પદયાત્રીઓ દ્વારા એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા સમગ્ર લીમખેડા વિસ્તારના આસ્થાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રિમાં મા અંબેને તેડુ આપવા અંબાજી પહોંચી ગયા છે. 
Sep 5,2021, 9:43 AM IST

Trending news