Nitin faldu News

કડવા પાટીદારોને અન્યાય થવાનું કારણ ધરીને જુનાગઢ BJP ના મહામંત્રીએ આપ્યું રાજીનામુ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જૂનાગઢ (junagadh) જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જિલ્લા ભાજપ મહામંત્રી નીતિન ફળદુ (ટીનુભાઈ) એ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. નીતિન ફળદુએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (cr patil)ને લેખિતમાં રાજીનામું આપ્યું છે. તેમણે કડવા પાટીદાર સમાજ (patidar samaj) ને અન્યાય થયો હોવાથી રાજીનામુ આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. નીતિન ફળદુ કડવા પાટીદાર સમાજના આગેવાન છે. તેઓ માણાવદર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં નામનો ઉલ્લેખ કર્યા વગર જવાહર ચાવડા પર નિશાન સાધ્યું હતું. પોતાના વિધાનસભા મતવિસ્તારમાં મનમાની કરી જૂથવાદ અને જ્ઞાતિવાદ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. 
Jan 30,2021, 15:37 PM IST

Trending news