Pomegranate farming News

લોકડાઉનને કારણે કચ્છના ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાયો
કોરોના વાયરસ (corona virus) ની મહામારી હાલ સમગ્ર દેશમાં ફેલાઈ છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું lockdown જાહેર કર્યું છે. જેના લીધે ગુજરાત રાજ્યની અને જિલ્લાની સરહદો પણ સીલ કરી દેવાઈ છે. લોકોના અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા ગામે ઝી 24 કલાકે લોકડાઉન વચ્ચે ખેડૂતોનો અહેવાલ મેળવ્યો હતો. નખત્રાણા તાલુકો બાગાયતી ખેતીનું હબ ગણાય છે. અહીં 10 કિલોમીટરની ત્રિજ્યામાં મોટી માત્રામાં દાડમ (pomegranate) નું વાવેતર કરવામાં આવ્યું છે. હજારો ટન દાડમનો પાક થયો છે. પરંતુ ઈમરજન્સી અને પ્રતિબંધને કારણે ખેડૂતોનો દાડમનો તૈયાર પાક એકાદ અઠવાડિયા બાદ સડવા માંડશે એવી ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે. 
Apr 5,2020, 8:58 AM IST

Trending news