Salesmen News

SURAT માં જ્વેલર્સમાં નોકરી કરતા સેલ્સમેને શેઠને લોકડાઉનમાં એવા ડુબાડ્યાં કે હવે કિન
જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતાં કર્મચારીએ એક વર્ષમાં 2.76 કરોડના સોનાના દાગીના વેચાણ માટે લઈ જઈ બારોબાર રૂપિયાની ઉઘરાણી કરી વિશ્વાસઘાત કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જવેલર્સ હરેશભાઈની ફરિયાદ બાદ DCB પોલીસે મુકેશને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જોકે પોલીસનું દબાણ વધતાં તે ખુદ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું કેહવું છે કે, સુરતના મહિધરપુરા વિસ્તારમાં લક્ષ્મી નારાયણ જવેલર્સના માલિક હરેશભાઇ કરશનભાઇ ઝાલાવાડીયાએ અઢી વર્ષ પહેલાં તેમણે હોલસેલ જવેલરીનો વેપાર શરૂ કર્યો હતો. તેમને આ કામ માટે પોતાના 20 વર્ષ જુના સાથી કર્મચારી મુકેશ પોપટભાઇ મોદીને કામે રાખ્યો હતો. 
Sep 10,2021, 17:43 PM IST

Trending news