Shiva News

Shravan : અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર ચઢાવો અલગ-અલગ વસ્તુઓ, ઈચ્છાપ્રાપ્તિ થશે
Shravan Somvar 2023: પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભક્તિ ચરમસીમાએ પહોંચી જાય છે. શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવશંકરની પૂજા આરાધનાનું વિશેષ મહાત્મય છે. શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. ત્યારે એ વાત પણ જાણવા જેવી છેકે, શિવજીને કઈ વસ્તુઓ પસંદ છે. ભગવાન ભોળાનાથને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર અને જ્યોતિષાચાર્યોના કથાનાનુસાર ભગવાન ભોળાનાથ તેમના નામ પ્રમાણે ખુબ ભોળા છે. આમ તો તેમને જે કંઈ પણ સાચા મનથી અર્પણ કરવામાં આવે તેઓ એનાથી જ પ્રસન્ન થઈને તમારો મનોરથ પુરો કરે છે. શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામનાને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.
Aug 26,2023, 8:40 AM IST
જ્યારે સીતા માતાએ હનુમાનજીને આપ્યો પાનનો હાર...
ખઈ કે પાન બનારસ વાલા...ખુલ જાયે બંધ અકલ કા તાલા...અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મનું આ ગીત આજે પણ સદાબહાર છે...આ ઉપરાંત અનેક ફિલ્મોમાં પાન ખાતા કેરેક્ટર દર્શાવવામાં આવ્યાં છે. ત્યારે આજે જે અહીં વાત કરવાની છે પાનની...પાનનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. પુજા-પાઠ અને ઔષધીથી લઈને ખાણી-પીણીમાં મુકવાસ સુધી પાનની સફર સદીઓ જૂની છે. રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...પ્રાણ જાય પણ પાન ન જાય, કેવી રીતે ભારતીયોને લાગ્યો પાનનો ચસકો એ કહાની પણ જાણવા જેવી છે. ભારતમાં બાસવાડાથી લઈને છેક બનારસ સુધી પાનના શોખીનો પડ્યાં છે. મુગલકાળ હોય કે મરાઠા રાજ હોય ત્યારે પણ પાન હંમેશા વિશેષ સ્થાન પર રહ્યું છે.
Feb 9,2021, 12:15 PM IST

Trending news