Shrey hospital News

શ્રેય હોસ્પિટલ આગકાંડનો રિપોર્ટ આજે આવશે કે નહિ? અધિકારીઓએ મૌન પાળ્યું
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની કરુણાંતિકા મામલે તપાસનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી શકે છે. જોકે તપાસ રિપોર્ટ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરીનું ભેદી મૌન જોવા મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રિપોર્ટ સોંપ્યો કે નહીં તે સંદર્ભે કોઈ કશું બોલવા તૈયાર નથી. કર્મયોગી ભવનમાં ગૃહ વિભાગના યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે રિપોર્ટ સોંપ્યો કે નહીં તેની ઉપર પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે વહીવટી તંત્ર કામ કરી રહ્યો હોય તે રીતે બંને ઉચ્ચ અધિકારીઓએ ભેદી મૌન જાળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની હૉસ્પિટલમાં આગ લાગ્યા બાદ મુખ્યમંત્રીએ તપાસ કરી 3 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો. આજે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ અધિકારીઓ કાંઈ જ બોલવા માટે તૈયાર નથી. 
Aug 10,2020, 13:12 PM IST
સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું
Aug 8,2020, 15:27 PM IST
ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદની અનેક બિલ્ડીંગ ફાયર સેફ્ટી વગર ધમધમે છે, રોજ હજારોની અવર
Aug 7,2020, 10:55 AM IST
વડોદરાનું ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યું, ગોત્રી અને સયાજી હોસ્પિટલને NOC માટે નોટિસ ફટ
Aug 6,2020, 15:21 PM IST
ખાનગી હોસ્પિટલોમાં બનતા કોરોનાના બિલ સામે સરકારે શ્રેય હોસ્પિટલ આગમાં કરેલી સહાય ચણા
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં 8 કોરોનાના દર્દી જીવતા ભૂંજાયા છે. ત્યારે મૃતકોના વારસદાર અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકના વારસદારને મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. તો પીએમઓ ઓફિસ તરફથી મૃત્યુ પામલે દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. ત્યારે સવાલ છે કે, જે રકમ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા જે રકમ જાહેર કરવામાં આવે છે, તે કોરોનાના દર્દીઓના બનતા બિલ સામે સાવ ચણામમરા જેવી છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનું બિલ લાખો રૂપિયામાં બનતું હોય છે. કોરોનાના દર્દીને હોસ્પિટલમાં રાખવાનો એક દિવસનો ચાર્જ જ હજારોમાં વસૂલાતો હોય છે અને જ્યારે દર્દી હોસ્પિટલ છોડીને જાય છે ત્યારે લાખોનું બિલ ચૂકવીને બહાર નીકળે છે.  
Aug 6,2020, 14:17 PM IST
આગ લાગ્યા બાદ જ સરકાર કૂવો ખોદવા નીકળે છે, સુરત આગકાંડમાં પણ એવુ જ થયું હતું
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો અને રાજ્યની બીજી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાશે. હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) માં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધરાશે. તેમજ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપી દેવાઈ છે. પરંતુ જમીની હકીકત એ છે કે, સરકાર આગ લાગ્યા પછી જ કૂવો ખોદવા નીકળે છે. સુરતમાં તક્ષશિલા આગકાંડ પણ આવુ જ થયું હતું. પરંતુ સરકાર સુરતની ઘટનાથી કોઈ બોધપાઠ લઈ શકી નથી. ગુજરાતમાં સંખ્યાબંધ ઈમારતો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી. આ ઈમારતો ફાયર સેફ્ટી વગર ધમધમે છે. સુરત અગ્નિકાંડ (surat fire tragedy)  બાદ પણ આવી જ રીતે ચેકિંગના આદેશો અપાયા હતા. સરકારની આવી જ બેદરકારીને કારણે એક વર્ષ પહેલા 22 માસુમો જીવતા ભૂંજાયા હતા, અને આજે 8 કોરોનાના દર્દીઓને આગની જ્વાળામાં લપેટાયા બાદ મોતના મુખમાં ગયા છે. પરંતુ સવાલ એ છે કે, ક્યારે તંત્ર જાગશે. તંત્રની આંખ ખોલવા માટે આવી ઘટના બનતી રહેવી જોઈએ? ઘટનાઓ બાદ સરકારી બાબુઓ પાછા આળસ મરોડીને ખુરશી પર બેસી જાય છે. જો સમયાંતરે આ બાબતે ચેકિંગ કરવામાં આવે તો ગુજરાત દર વર્ષે આવી ઘટનાઓનું સાક્ષી નહિ બને.  
Aug 6,2020, 12:55 PM IST
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતનું ભાજપ કનેક્શન નીકળ્યું, પિતા કોંગ્રેસ સરકારમાં મં
Aug 6,2020, 11:39 AM IST
આગકાંડ બાદ શ્રેય હોસ્પિટલ સીલ, સંચાલક-મેનેજરની અટકાયત, CM રૂપાણીએ સહાયની જાહેરાત કરી
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની આઈસીયુમાં લાગેલી આગમાં અંદરથી નજારો જુઓ તો ધ્રૂજારી પેદા થાય તેવો છે. સમગ્ર આઈસીયુ વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે, અને કાળો બની ગયો છે. આવામાં આગ કેવી વિકરાળ હશે તે સમજી શકાય છે. આ આગે 8 દર્દીઓનો જીવ લીધો છે, જેઓ કોરોનાથી મુક્ત થવા માટે સારવાર લઈ રહ્યા હતા. શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંતની અટકાયત કરાઈ છે. હોસ્પિટલના મેનેજરની પણ અટકાયત કરાઈ છે.
Aug 6,2020, 10:47 AM IST
શ્રેય હોસ્પિટલમાં મૃતકોના સ્વજન અને ઘાયલો માટે PM મોદી દ્વારા સહાયની જાહેરાત
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે. તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામલે દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. 
Aug 6,2020, 9:24 AM IST
આગ બાદ શ્રેય હોસ્પિટલમાં બહાર દર્દીઓના સ્વજનોનો આક્રોશ, કહ્યું-હોસ્પિટલ સાચી માહિતી
ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની પ્રથમ ઘટના બની છે. જેમાં 8 દર્દીઓના મોત નિપજ્યાં છે. હોસ્પિટલના તંત્ર દ્વારા અનેક માહિતીઓ છુપાવવામાં આવી રહે છે તેવો દર્દીઓના સ્વજનો દ્વારા આક્રોશ કરાયો છે. મોટી સંખ્યામાં દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર એકઠા થયા છે. પરંતુ તેઓને સવારથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી રહી. તેથી સ્વજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેઓનું કહેવું છે કે, અમને હોસ્પિટલમાંથી રૂપિયા માટે ફોન આવ્યો છે. આગ અંગે અને દર્દીઓની પરિસ્થિતિ અંગે કોઈ જાણ કરાઈ નથી. સ્વજનોમાં રોષ જોવા મળ્યો. તેઓને કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી રહી. કેટલાક સ્વજનોએ એમ પણ કહ્યું કે, હોસ્પિટલ સાચી માહિતી છુપાવી રહી છે. આગ નહિ, પણ ઓક્સિજનની અછતથી મોત થયું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોએ ભારે આક્રંદ કર્યો હતો. તેઓ પોતાના સ્વજન સ્વસ્થ છે કે નહિ તે જાણવા માંગતા હતા. હોસ્પિટલના સત્તાધીશો તેમની સાથે વાત કરવા માંગતા નથી. 
Aug 6,2020, 8:29 AM IST

Trending news