Trapping News

ગીર સોમનાથ ખાંભાની ગૌચર જમીનમાં ફાંસલા મુકનારા 48 લોકોની ધરપકડ
ખાંભા ગામની ગૌચરની જમીનમાં વન્ય પ્રાણી ના શિકાર અર્થે મુકેલ ફાસલામાં સિંહ બાળનો પગ ફસાયાની ઘટના સામે આવતા વન વિભાગ સફાળું જાગ્યું હતું. ગુજરાતના વન્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી કુલ 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ મુખ્ય વન સરંક્ષક ડૉ.કે.રમેશે વન્ય પ્રાણીના શિકાર કરતી ગેંગ સક્રીય થઇ હોવાના મુદ્દે પ્રેસ કોનફરન્સ યોજી હતી. જેમાં ખાંભા ગામે સિંહ બાળ ફાસલામાં ફસાવાના મામલે જણાવ્યું હતું કે, બે ફાસલા મુકવામાં આવ્યા હતા. જેમાં એકમાં સિંહ બાળ અને બીજા ફાસલામાં શીયાળ ફસાયું હતું. બંનેને વેટરનરી ડોક્ટર દ્વારા સહી સલામત બહાર કાઢીને સારવાર બાદ ફરી જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા. 
Feb 4,2021, 22:04 PM IST

Trending news