Zee 24 kalak mahasanman News

 ઝી 24 કલાકના મહાસન્માનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાત અને અન્ય રાજ્યના લોકોમાં મુખ્ય અંતર શાંત સ્વભાવ, મૃદુ અને સાહસિક સ્વભાવ, ઉદ્યમશીલતા વણેલી છે. સદીઓ પહેલાથી આપણાં બાબ-દાદાઓ આફ્રિકાથી માંડીને વિશ્વના અન્ય દેશોમાં ગયા હતા. ગુજરાતના ઉદ્યોગપતિઓએ નાના ઉદ્યોગોથી શરૂઆત કરીને હરણફાળ ભરી છે અને વિશાળ વટવૃક્ષ બનીને બેઠા છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્રે દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે.
Oct 10,2019, 20:30 PM IST
ઝી 24 કલાક મહાસન્માન 2019: પીએમ મોદીના 'નયા ભારત' નિર્માણમાં ગુજરાત
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે ગુજરાત દેશમાં રોલ મોડેલ બનશે. ગુજરાતે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યએ પહેલા ઉદ્યોગ સ્થાપવા અને પછી જરૂરી ત્રણ વર્ષમાં લઈ લેવાની જાહેરાત કરાઈ છે. એમએસએઈને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે વિશેષ સોલાર પોલીસી બનાવી છે. રાજ્યમાં અનેક વેપાર-ઉદ્યોગોને 'લાયસન્સ રાજ'માંથી મુક્તી આપી. વડાપ્રધાન મોદીના 'નયા ભારત' નિર્માણના સ્વપ્નમાં ગુજરાત રોલ મોડલ બને, ગુજરાત પહેલ કરે, ગુજરાતીઓ વધુ ને વધુ સાહસ કરતા થાય એવી આપ સૌ પાસે અપેક્ષા છે. "
Oct 11,2019, 16:58 PM IST

Trending news