રખડતા શ્વાનના ત્રાસનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ, ગૃહ વિભાગને નોટિસ

અમદાવાદ શહેર સહીત રાજ્યભરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો એક વર્ષમાં 60 હજારથી વધુ લોકોને રખડતા શ્વાનના ત્રાસનો ભોગ બન્યાના આંકડા સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

Trending news