BSNL-MTNL અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

મોદી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલ અંગે મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠકમાં આ બંને કંપનીઓના વિલયને મંજુરી આપવામાં આવી છે. લાંબા સમયથી નુકસાનમાં ચાલી રહેલી આ બંને સરકારી કંપનીઓ માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવતા હતા કે, સરકાર આ બંને કંપનીઓને બંધ કરવા જઈ રહી છે. જોકે, સરકારે એ સમાચારને અફવા જણાવ્યા છે.

Trending news