Russia-Ukraine War Live Updates: અત્યાર સુધી 6400 ભારતીય યૂક્રેનથી પરત ફર્યા: વિદેશ મંત્રાલય

રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજો કરી લીધો છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આજે (3 માર્ચ) વાતચીત કરી શકે છે. આ માટે રશિયન ડેલિગેશન બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર પહોંચી ગયું છે.

Russia-Ukraine War Live Updates: અત્યાર સુધી 6400 ભારતીય યૂક્રેનથી પરત ફર્યા: વિદેશ મંત્રાલય

Russia Ukraine War Live Updates: રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજો કરી લીધો છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આજે (3 માર્ચ) વાતચીત કરી શકે છે. આ માટે રશિયન ડેલિગેશન બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર પહોંચી ગયું છે. તો બીજી તરફ રશિયાના સૈન્ય ઓપરેશનથી ખરાબ રીતે પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે.

અત્યાર સુધીમાં 6400 ભારતીયોને પરત લાવવામાં આવ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે પ્રથમ એડવાઈઝરી જારી કરવામાં આવી ત્યારથી કુલ 18,000 ભારતીય નાગરિકોએ યુક્રેન છોડી દીધું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 30 ફ્લાઈટ્સ યુક્રેનથી 6,400 ભારતીયોને પરત લાવી છે. આગામી 24 કલાકમાં 18 ફ્લાઈટ્સનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.

યુક્રેન પર રશિયાના વિદેશ મંત્રીનો મોટો આરોપ

પરમાણુ યુદ્ધ વિશે રશિયાનો દાવો
રશિયાના વિદેશ મંત્રી લાવરોવે કહ્યું કે પરમાણુ યુદ્ધની શક્યતા રશિયા દ્વારા નહીં, પરંતુ નાટો અને યુક્રેન દ્વારા કરવામાં આવી રહી છે.

કિવથી 30 કિમી દૂર છે રશિયન સેના
બ્રિટનની સંરક્ષણ એજન્સીએ મોટો દાવો કર્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના હજુ પણ યુક્રેનની રાજધાની કિવથી 30 કિલોમીટર દૂર છે અને રશિયન સેના 3 દિવસથી આગળ વધી નથી. કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનના વળતા હુમલાને કારણે રશિયન સેના અટકી ગઈ છે અને આગળ વધી શકતી નથી.

યુક્રેન પર રશિયન ગોળીબારી વધુ તીવ્ર
રશિયન સેનાએ યુક્રેન પર તોપમારો તેજ કર્યો છે. આ સાથે ખારકીવ અને ઓખ્તિરકા સહિત અનેક શહેરો પર મિસાઈલ છોડવામાં આવી છે. તે જ સમયે, યુક્રેનની રાજધાની કિવમાં સતત હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે.

'શું સુપ્રીમ કોર્ટ પુતિનને યુદ્ધ રોકવાનો નિર્દેશ આપી શકે છે?'
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને ચીફ જસ્ટિસ એનવી રમનાએ આ મામલે એટર્ની જનરલને કોર્ટમાં બોલાવ્યા છે. આ સાથે જ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે અરજીકર્તાને પૂછ્યું કે આ મામલે કોર્ટ શું કરી શકે? ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે અમને વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ છે અને અમને ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ શું અમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે સૂચના આપી શકીએ? હવે આ મામલે કોર્ટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને સમન્સ પાઠવીને મદદ માંગી છે.

સમુદ્રમાંથી મોટા ઓપરેશનની તૈયારીમાં છે રશિયા
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમી ક્રિમીઆમાં રશિયન નેવી વધી રહી છે અને તેને બ્લેક સીમાં રશિયાની મોટી તૈયારી માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા સમુદ્ર દ્વારા મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે આજે ક્વાડ દેશોની બેઠક આજે
રશિયા-યુક્રેન યુદ્ધ આઠમા દિવસે પણ ચાલુ છે અને આ દરમિયાન આજે ક્વાડ દેશોના નેતાઓની વર્ચ્યુઅલ બેઠક યોજાવા જઈ રહી છે. PM નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસન અને જાપાનના PM Fumio કિશિદા ક્વોડ કન્ટ્રીઝની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે આજે આ માહિતી આપી. મળતી માહિતી મુજબ, આ તમામ નેતાઓ આજે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા કરી શકે છે. જણાવી દઈએ કે આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોની સુરક્ષિત વાપસી માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.

798 ભારતીયોને એરફોર્સના 4  વિમાનથી પરત લવાયા
ભારતીય વાયુસેનાના ચાર C-17 વિમાનોની મદદથી ઓપરેશન ગંગા હેઠળ 798 ભારતીયોને રોમાનિયા, હંગરી અને પોલેન્ડથી ભારત પરત લવાયા. 

First four IAF C-17 aircraft under #OperationGanga evacuated 798 Indian nationals using airfields in Romania, Hungary & Poland. They also supplied 9.7 tons relief material: Indian Air Force#RussiaUkraineConflict #Ukraine #UkraineRussiaWar pic.twitter.com/Lzl1sK41iW

— Zee 24 Kalak (@Zee24Kalak) March 3, 2022

મોટા ઓપરેશનની તૈયારીમાં રશિયા
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વેસ્ટર્ન ક્રિમિયામાં રશિયન નેવીનો જમાવડો વધી રહ્યો છે અને તને બ્લેક સીમાં રશિયાની મોટી તૈયારી સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે રશિયા દરિયામાંથી કોઈ મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં છે. 

Russia-Ukraine War Live Updates: समंदर से बड़े ऑपरेशन की तैयारी में रूस, वेस्टर्न क्रीमिया में बढ़ा नौसेना का जमावड़ा

એક અઠવાડિયામાં 10 લાખ લોકોનું પલાયન
સંયુકત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ જણાવ્યું કે રશિયાના હુમલા બાદથી 10 લાખ લોકો યુક્રેન છોડીને જતા રહ્યા છે. આ સદીમાં આ પહેલા ક્યારેય આ ગતિથી પલાયન થયું નથી. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયોગ (યુએનએચસીઆર)ના આંકડા મુજબ પલાયન કરનારા લોકોની સંશ્યા યુક્રેનની વસ્તીના બે ટકાથી વધુ છે. વિશ્વ બેંક મુજબ 2020ના અંત સુધીમાં યુક્રેનની વસ્તી ચાર કરોડ 40 લાખ હતી. એજન્સીનું અનુમાન છે કે યુક્રેનથી લગભગ 40 લાખ લોકો પલાયન કરી શકે છે. આ સંખ્યા અંદાજા કરતા વધુ પણ હોઈ શકે છે. 

કીવમાં રશિયન સેનાનો જોરદાર બોમ્બમારો
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયુ છે. હુમલાના આઠમા દિવસ પણ રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી શકી નથી. કીવ પર કબજા માટે રશિયાની સેના ભીષણ બોમ્બમારો કરી રહી છે. જ્યારે યુક્રેન કોઈ પણ સંજોગોમાં રશિયાની સેનાને કીવમાં ઘૂસતી રોકવાની કોશિશ કરી રહ્યું છે.

રશિયા વિરુદ્ધ યુક્રેનના રાષ્ટ્રપતિનો હુંકાર
રશિયા વિરુદ્ધ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ હુંકાર કર્યો છે અને કહ્યું કે હુમલાખોરોને અહીં કશું મળશે નહીં. તેઓ દરેક જગ્યાએ મીટાઈ જશે. તેમણે કહ્યું કે યુક્રેનિયન! દરેક આક્રમણકારીને ખબર હોવી જોઈએ કે તેમને કશું મળશે નહીં. કોઈના પર વિજય મળશે નહીં. એટલે સુધી કે જો તેઓ વધુ ઉપકરણ અને અધિક લોકોને જમા કરી શકે છે, તો પણ તેમના માટે કશું નહીં બદલાય. તેઓ દરેક જગ્યાએથી નષ્ટ થઈ જશે. 

ભારતીયોની વાપસી
યુક્રેનથી ભારતીયોની સુરક્ષિત વાપસી સતત ચાલુ છે. હિંડન એરબેસ પર વાયુસેનાનું ચોથુ ગ્લોબમાસ્ટર વિમાન ઉતર્યું. C-17 વિમાન દ્વારા 800 ભારતીય યુક્રેનથી પાછા ફર્યા છે. 

યુક્રેનમાં કોઈ વિદ્યાર્થીને નથી બનાવ્યો બંધક
રશિયા તરફથી કરાયેલા દાવા પર હવે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય દૂતાવાસ સતત ભારતીયોના સંપર્કમાં છે. યુક્રેની ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતના કોઈ વિદ્યાર્થીને બંધક બનાવ્યાની જાણકારી મળી નથી. 

Our Embassy in Ukraine is in continuous touch with Indian nationals in Ukraine. We note that with the cooperation of the Ukrainian authorities, many students have left Kharkiv yesterday. We have not received any reports of any hostage situation regarding any student: MEA pic.twitter.com/1pyZ5u1TIy

— ANI (@ANI) March 3, 2022

ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેને બંધક બનાવ્યા- રશિયા
અત્રે જણાવવનું કે રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોના જણાવ્યાં મુજબ યુક્રેનની પોલીસ અને અધિકારીઓ ભારતીયોને પરેશાન કરવાની સાથે તેમને પોલેન્ડની સરહદ સુધી પહોંચવા દેતા નથી. મંત્રાલયનું એમ પણ કહેવું છે કે આવા પડકારો છતાં ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રશિયાના રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ખારકિવમાં ફસાયેલા છે . તેઓ યુક્રેન છોડવા માટે રશિયા-યુક્રેન બેલગોરોડ સરહદ પર જવા ઈચ્છે છે પરંતુ તેમની યુક્રેની અધિકારીઓ ધરપકડ કરી રહ્યા છે. 

ચીને રશિયાને કહ્યું- વિન્ટર ઓલિમ્પિક સુધી ન કરો  હુમલો
યુક્રેન પર હુમલો કરતા પહેલા ચીનના સિનિયર અધિકારીઓએ ફેબ્રુઆરીની શરૂઆતમાં રશિયાના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી હતી. ચીની અધિકારીઓએ કહ્યું હતું કે બેઈજિંગમાં વિન્ટર ઓલિમ્પિકની સમાપ્તિ પહેલા યુક્રેન પર હુમલો ન કરો. આ વાત ન્યૂયોર્ક ટાઈમ્સે બાઈડેન પ્રશાસનના અધિકારીઓ અને એક યુરોપિયન અધિકારીના હવાલે જણાવી છે. જેમણે એક પશ્ચિમી ઈન્ટેલિજન્સ રિપોર્ટનો હવાલો આપ્યો છે. 

ખેરસોન પર રશિયાનો કબજો
યુદ્ધના આઠમા દિવસે રશિયાની સેનાએ ખેરસોન પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. એએફપીના રિપોર્ટ મુજબ યુક્રેનના અધિકારીઓએ દક્ષિણી શહેર ખેરસોન પર રશિયાના કબજાની પુષ્ટિ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news