Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાનું નિવેદન, પાર્ટીના નિર્ણયનું સન્માન કરીશ

આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં જ્યારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા તો પછી આમ આદમીની શું વિસાત હશે. આ દરમિયાન શ્રીલંકાના પાર્ટી નેતાઓએ બેઠક શરૂ કરી દીધી છે. આ બેઠકમાં શું પરિણામ નિકળશે તે થોડીવારમાં ખબર પડી જશે. 

Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાનું નિવેદન, પાર્ટીના નિર્ણયનું સન્માન કરીશ

Sri Lanka Crisis: આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં જ્યારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા તો પછી આમ આદમીની શું વિસાત હશે. આ દરમિયાન શ્રીલંકાના પાર્ટી નેતાઓએ બેઠક શરૂ કરી દીધી છે. આ બેઠકમાં શું પરિણામ નિકળશે તે થોડીવારમાં ખબર પડી જશે પરંતુ અમે તમને જણાવી દઇએ કે શ્રીલંકામાં હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિદ્રોહીઓએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનને કબજામાં કરી લીધો છે. થોડા સમય પહેલાં જ દેશની બગડતી સ્થિતિનો વિરોધ કરતાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ રાજપક્ષેના આવાસને ઘેરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા છે. 

આ પહેલાં મોંઘવારીથી પરેશાન લોકોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. શ્રીલંકામાં આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું. પ્રદર્શનકારીઓના ઉગ્ર થતાં જોઇ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ  ભવન છોડીને ભાગી ગયા. પ્રદર્શનકારીઓએ શ્રીલંકા રાષ્ટ્રપતિ ભવન બહાર જોરદાર હંગામો કર્યો. કેટલાક પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા. આ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પૂલમાં પણ નહાતા જોવા મળ્યા. માનવામાં આવી રહ્યું છે કે હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર આ પ્રદર્શનકારીઓએ કબજો જમાવી લીધો છે. 

રાષ્ટ્રપતિ પાસે કરી રાજીનામાની માંગ
તમને જણાવી દઇએ કે આ પહેલાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની હાલત સતત બગડતી જાય છે. આખા દેશની જનતા મોંઘવારીની મારથી પરેશાન છે. શ્રીલંકાની જનતા ગત કેટલાક મહિનાથી વિજળી અને ઇંઘણના સંકટ સામે ઝઝૂમી રહી છે. દેશની આ દશા મઍટે જનતા શ્રીલંકાના સત્તાધારી પરિવારને દોષી માની રહી છે. એટલા માટે જ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવન સામે પ્રદર્શન કરવા પહોંચી ગયા. 

પ્રધાનમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક
શ્રીલંકામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા છે સ્થિતિ કાબૂમાં નથી, શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સ્થિતિ પર ચર્ચા કરવા અને કેટલાક સમાધાન નિકાળવા માટે પાર્ટીના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ સ્પીકર પાસેથી સંસદ સત્ર બોલાવવાની માંગ કરી છે. હવે આ બેઠકમાં શું કંઇ નિકળીને આવશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ પ્રદર્શનકારીઓને કાબૂમાં ન કરવામાં આવ્યા તો સ્થિતિ વધુ બગડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news