WHO ની જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી

WHO on Covid19: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO એ કોરોનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. WHOએ કહ્યું કે કોરોના હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી.

WHO ની જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી

WHO on Covid19: દેશ અને દુનિયાભરમાં હડકંપ મચાવનારા કોરોના અંગે સૌથી મોટો સમાચાર સામે આવ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈજેશને જાહેરાત કરી છેકે, કોરોના હવે ખતમ થઈ ગયો છે. કોરોના હવે વૈશ્નિક મહામારી નથી રહ્યો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ જાહેરાત થતી સમગ્ર દુનિયાને ખુબ મોટી રાહત આપી છે. WHO એ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી. આ અંગેનો નિર્ણય ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, "ગઈકાલે ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી. આમાં મને વિશ્વમાં કોવિડ-19ની વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. મેં તેમની સલાહ માની લીધી છે."

આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી
આ પણ ખાસ વાંચોઃ  BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી
આ પણ ખાસ વાંચોઃ  સી પ્લેન અંગે આ સમાચાર સાંભળીને ઝૂમી ઉઠશે તમારું મન! સરકાર કરી રહી છે મોટી વિચારણા

જાહેરમાં વૈશ્વિક આરોગ્ય કટોકટી ક્યારે બની?
WHOએ કહ્યું કે 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જોકે WHOએ સ્પષ્ટતા કરી છે કે કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે. WHO અનુસાર, જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, ત્યારે ચીનમાં 100થી ઓછા કોરોના કેસ જોવા મળ્યા હતા અને કોઈનું મોત થયું નથી. પરંતુ ત્રણ વર્ષ પછી, આ આંકડો વધીને 70 લાખ થઈ ગયો, જે સામે આવ્યો, પરંતુ આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે લગભગ 20 મિલિયન લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

તેને જાહેર વૈશ્વિક આરોગ્ય કટોકટીમાંથી શા માટે દૂર કરવામાં આવ્યું?
WHOએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં કોવિડના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠને કહ્યું કે કોરોનાની એટલી મોટી અસર થઈ કે તે શાળાથી લઈને ઓફિસ સુધી બંધ રહી. આ સમય દરમિયાન ઘણા લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયા હતા. તેણે વિશ્વની અર્થવ્યવસ્થાનો નાશ કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news